બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / This youth of Surendranagar is 'unwavering' in service: He is making the elderly travel for free, people say the hearing of Kali Yuga
Vishal Khamar
Last Updated: 09:53 PM, 9 June 2023
અવાર નવાર ઘણા લોકો દ્વારા પોતાનાં માતા-પિતાની યાદમાં કે ઘરનાં કોઈ વડીલની યાદમાં કુંવાસીઓ, બાળકો તેમજ વૃદ્ધોને ભોજન કરાવે છે તેમજ બાળકોને તેમને ઉપયોગી એવી ચીજ વસ્તુઓ ભેટ આપે છે. સુરેન્દ્રનગરનાં યુવાન ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પોતાનાં માતા-પિતાની યાદમાં તેમજ દેશનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે વૃદ્ધોને લકઝરી બસ મારફતે વિના મૂલ્યે ધાર્મિક સ્થળોની યાત્રા માટે મોકલવામાં આવ્યા હતા.
ગરીબો તેમજ જરૂરીયાતમંદને તહેવાર પ્રસંગે કપડા તેમજ મીઠાઈનું પણ નિઃશુલ્ક વિતરણ
સુરેન્દ્રનગરમાં જરૂરિયાતમંદ તેમજ ગરીબ પરિવારો માટે આશાનું કિરણ એવા ચંદ્રેશભાઈ પટેલ જેઓ વર્ષોથી સુરેન્દ્રનગર ખાતે શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે. ત્યારે આ ટ્રસ્ટ્ર મારફતે તેઓ ગરીબ તેમજ જરૂરીયાતમંદ લોકોને વિના મૂલ્યે અનાજ કીટ વિતરણ તેમજ તહેવાર પ્રસંગે કપડા તેમજ મીઠાઈનું પણ નિઃશુલ્ક વિતરણ કરે છે.
વૃદ્ધોનો રહેવા તેમજ જમવાનો તમામ ખર્ચ ચંદ્રેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવે છે
ચંદ્રેશભાઈ પટેલ દ્વારા સ્વર્ગસ્થ માતા-પિતાની યાદમાં અને દેશનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે વૃદ્ધો માટે ખાસ અટલ યાત્રાનું આયોજન કર્યું હતું. ચંદ્રેશભાઈએ ત્રણેય બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે ત્રણ બસોમાં અંદાજે 170 થી વધુ વૃદ્ધોને ઉજ્જૈન, હરસિદ્ધિ માતાજી, ડાકોર, વડતાલ સહિતનાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરવાનો લ્હાવો પ્રાપ્ત થશે. અટલ યાત્રા અંતર્ગત બસ સહિત રહેવા તેમજ જમવાનો તમામ ખર્ચ ચંદ્રેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવશે.
અત્યાર સુધી 32 બસો મારફતે 1300 થી વધુ વૃદ્ધોએ યાત્રા કરી
જોરાવરનગરનાં ચંદ્રેશ પટેલે અત્યાર સુધી 32 બસો મારફતે 1300 થી વધુ વૃદ્ધ વડીલોને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી કળયુગમાં શ્રવણ બની અનેક યુવાનો માટે એક આદર્શ બન્યા છે. સ્વર્ગસ્થ માતા-પિતાની યાદમાં વૃદ્ધ વડીલોને નિઃશુલ્ક અટલ યાત્રાનું આયોજન કરી લોકો માટે પ્રેરણારૂપ બની એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
ચંદ્રેશભાઈ યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા
યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બનેલા ચંદ્રેશભાઈ દ્વારા સુરેન્દ્રનગરનાં વડીલો જેઓએ ક્યારેય યાત્રા ન કરી હોય તેઓ માટે વિનામૂલ્યે અટલ યાત્રાનું આયોજન કર્યું છે. તો સૌ કોઈ વડીલો તેમજ વૃદ્ધોએ આ યાત્રાનો લાભ લેવાનું ચંદ્રેશભાઈએ જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા