બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The people who survived the Morbi disaster said that 15 to 20 anti-social elements tried to damage the bridge
Last Updated: 09:48 PM, 31 October 2022
ADVERTISEMENT
મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનામાં ઘણાબધા લોકોના મોત થયા છે. અને અસંખ્ય ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ખરેખર જે લોકો મૃત્યુના મુખમાંથી બચીને બાહર આવ્યા છે. જે તમામ દર્દીઓની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર લઈ રહેલા દર્દીઓ જણાવી રહ્યાં છે કે, જ્યારે અમે ઝૂલતા પુલ પર સવાર હતા ત્યારે 15થી20 અસમાજિક તત્વો દ્વારા પુલને વચ્ચેથી હલાવવાનો પ્રયત્ન કરાતો હતો અને અસમાજિક તત્વો દ્વારા પુલને લાતો મારી ડેમેઝ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હતો.
ADVERTISEMENT
"Some mischievous men were shaking ropes of bridge before it collapsed," says Morbi bridge tragedy survivor
— ANI Digital (@ani_digital) October 31, 2022
Read @ANI Story | https://t.co/mbDrktpxng#Morbi #MorbiBridgeCollapse #MorbiBridge #MorbiGujarat #MorbiTragedy #MorbiCableBridge pic.twitter.com/nnPqFaLhcl
ADVERTISEMENT
પુલને ડેમેઝ કરવાનો પ્રયત્ન કરાયો
મોરબીમાં દુર્ઘટનામાં 141થી વધુ લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. દુર્ઘટનામાં જે લોકો મોતના મુખમાંથી બચીને આવ્યા છે તેઓ જણાવી રહ્યાં છે કે, અમે પુલ પર સવાર હતા ત્યારે 20થી વધુ લોકો પુલને હલાવતા હતા અને પુલને લાતો મારી ડેમઝ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.
ગુનેગારોને કડક સજાની અપીલ
લોકોએ જણાવ્યું કે, ભગવાને મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઘણા બઘા લોકોને તો બચાવી લીધા પણ ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટરે લોકોના મોત માટે બરાબર પ્લાન ઘડ્યું હોય તેમ લાગી રહ્યું છે. તેમણે રહ્યું કે, તંત્ર દ્વારા પુલના કોન્ટ્રક્ટરો પર કડક કાર્યવાહી કરાય.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.