બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Team India captain Rohit Sharma inspected the pitch very seriously along with coach Rahul Dravid
Dinesh
Last Updated: 05:27 PM, 18 November 2023
ICC Cricket World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચની પિચને લઈને તમામ ક્રિકેટ ચાહકો ચિંતિત છે પરંતુ આ બધાની વચ્ચે હવે પીચના અહેવાલ પણ જાણવા મળ્યા છે. ચાલો જણાવીએ કે આ પીચ પર કેટલા રન બનાવે તો ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત થઈ શકે છે.
કેવી હશે અમદાવાદની પીચ?
17 નવેમ્બર શુક્રવારના રોજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કોચ રાહુલ દ્રવિડ સાથે ખૂબ જ ગંભીરતાથી પીચનું નિરીક્ષણ કર્યું અને લાંબા સમય સુધી એકબીજાની વચ્ચે ચર્ચા પણ ચાલી હતી. જોકે ફાઈનલ મેચ જૂની પીચ પર રમાશે કે નવી પીચ પર તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જોકે ક્રિકેટ નિષ્ણાતોના મતે અમદાવાદની પીચ કાળી માટીની છે જે સામાન્ય રીતે ધીમી હોય છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પીચ ક્યુરેટરે કહ્યું છે કે આ પીચ પર સતત હાર્ડ હિટિંગ કરી શકાતી નથી. તેથી જો ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે 315 રન બનાવે છે તો બહેતર રહેશે.
વર્લ્ડ કપમાં પાછળથી બેટિંગ કરનાર ટીમને ફાયદો મળ્યો
જો કે, અમદાવાદના આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે, જેમાં માત્ર ત્રણ વખત છેલ્લી બેટિંગ કરનારી ટીમ જ મેચ જીતી શકી છે. આ મેદાન પર વર્લ્ડ કપની પ્રથમ મેચ પણ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 283 રનના લક્ષ્યને માત્ર 36.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને મેચ 9 વિકેટે જીતી લીધી હતી. આ સિવાય ભારતે પાકિસ્તાન સામે 193 રનનો ટાર્ગેટ પણ 20મી ઓવરમાં જ પાર કરી લીધો હતો. જેનો અર્થ એ થયો કે ટોસ જીત્યા બાદ નિર્ણય લેવામાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને માટે ઘણી દુવિધા રહશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો