બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / swami Nityananda want to live in caribbean islands
ADVERTISEMENT
કેમ વસાવવા માંગે છે નવું બ્રહ્માંડ
નિત્યાનંદને કોઈ કાયદા કાનૂનમાં બંધાવુ નથી અને આધ્યાત્મને નામે નીતનવા પ્રયોગો કરવા છે. આ માટે ગુજરાતના જ કેટલાક મોટા માથાને હાથ ઉપર લઈને તેણે આશ્રમ વસાવવા તજવીજ કરી હતી પરંતુ તેના જ પીઠ્ઠુ રહી ચુકેલા જનાર્દન શર્માના બાળકોના અપહરણ મામલે તે મીડિયા દ્વારા ઉઘાડો થઈ ગયો હતો એટલે જ હવે તેણે પોતાના વિદેશ વસવાટને જ યોગ્ય સમજ્યો છે.
ADVERTISEMENT
વિદેશમાં સ્થાયી થવા માંગે છે નિત્યાનંદ
ADVERTISEMENT
નિત્યાનંદ કેરેબિયન ટાપુ પર સ્થાયી થવા માંગે છે. અમેરીકાના ફ્લોરિડા નજીકના ટાપુ પર નિત્યાનંદની નજર છે. બહામા અને આસપાસના ટાપુ પર નિત્યાનંદના અનુયાયીઓ જમીન મેળવવા તજવીજ કરી રહ્યા છે. આ ખુલાસો નિત્યાનંદના જ અંગત સાથીદાર કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
નિત્યાનંદના જૂના સાથીદારે કર્યો મોટો ખુલાસો
સારાહ લેન્ડ્રી નામની સાધિકાએ નિત્યાનંદ પર ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે નિત્યાનંદ ભક્તો અને અનુયાયી માટે ટાપુની ખરીદીની તજવીજમાં છે. સારાહ લેન્ડ્રી નિત્યાનંદની પૂર્વ અનુયાયી છે. નિત્યાનંદ વિરુધ્ધ પિટીશન પણ સાઇન કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.