નિત્યાનંદ મામલે VTVએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. નિત્યાનંદની જ એક શિષ્યાએ સ્વામી વિરૂધ્ધ ચોંકાવનારા ખુલાસો આપ્યો છે. લંપટ નિત્યાનંદ વિદેશમાં સ્થાયી થવા માંગે છે એટલુ જ નહીં પરંતુ તે પોતાનું સામ્રાજ્ય એટલે કે નિત્યાનંદ નામનું બ્રહ્માંડ એક ટાપુ ઉપર વસાવવા માંગે છે જ્યાં તેમને કોઈ ખલેલ ન પહોંચાડે.
બહામાના આસપાસના ટાપુ પર નજર
જૂના સાથીદારે કર્યો ખુલાસો
અનુયાયીઓ માટે ટાપુની ખરીદી પર તજવીજ
કેમ વસાવવા માંગે છે નવું બ્રહ્માંડ
નિત્યાનંદને કોઈ કાયદા કાનૂનમાં બંધાવુ નથી અને આધ્યાત્મને નામે નીતનવા પ્રયોગો કરવા છે. આ માટે ગુજરાતના જ કેટલાક મોટા માથાને હાથ ઉપર લઈને તેણે આશ્રમ વસાવવા તજવીજ કરી હતી પરંતુ તેના જ પીઠ્ઠુ રહી ચુકેલા જનાર્દન શર્માના બાળકોના અપહરણ મામલે તે મીડિયા દ્વારા ઉઘાડો થઈ ગયો હતો એટલે જ હવે તેણે પોતાના વિદેશ વસવાટને જ યોગ્ય સમજ્યો છે.
વિદેશમાં સ્થાયી થવા માંગે છે નિત્યાનંદ
નિત્યાનંદ કેરેબિયન ટાપુ પર સ્થાયી થવા માંગે છે. અમેરીકાના ફ્લોરિડા નજીકના ટાપુ પર નિત્યાનંદની નજર છે. બહામા અને આસપાસના ટાપુ પર નિત્યાનંદના અનુયાયીઓ જમીન મેળવવા તજવીજ કરી રહ્યા છે. આ ખુલાસો નિત્યાનંદના જ અંગત સાથીદાર કરવામાં આવ્યો છે.
નિત્યાનંદના જૂના સાથીદારે કર્યો મોટો ખુલાસો
સારાહ લેન્ડ્રી નામની સાધિકાએ નિત્યાનંદ પર ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે નિત્યાનંદ ભક્તો અને અનુયાયી માટે ટાપુની ખરીદીની તજવીજમાં છે. સારાહ લેન્ડ્રી નિત્યાનંદની પૂર્વ અનુયાયી છે. નિત્યાનંદ વિરુધ્ધ પિટીશન પણ સાઇન કરી છે.