બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Gayatri
Last Updated: 10:41 AM, 4 December 2019
દુષ્કર્મના આરોપોમાં ફરાર અને ભારતથી વિદેશ ભાગી ચૂકેલા વિવાદોમાં રહેતા ઢોંગી બાબા નિત્યાનંદ મામલે મોટી માહિતી સામે આવી છે. નિત્યાનંદે દક્ષિણ અમેરિકી મહાદ્વીપમાં ત્રિનિદાદ અને ટોબૈગો પાસે ઇક્વાડોર પાસે એક દ્વીપ ખરીદી લીધો છે અને પોતાનો નવો દેશ બનાવી લીધો છે.
મળતી માહિતી મુજબ નિત્યાનંદે તેના દેશનું નામ કૈલાસા રાખ્યું છે. નિત્યાનંદ નેપાળના રસ્તે ઇક્વાડોર ભાગ્યો હતો. જો કે આ અંગે હજુ કોઇ પુષ્ટિ નથી થઇ. નિત્યાનંદ પર આશ્રમ ચલાવવા માટે બાળકોનું અપહરણ કરી અને શ્રદ્ધાળુંઓ પાસે ફંડ મગાવવાનો આરોપ છે. પોલીસ આ મામલે બે સાધિકાની ધરપકડ પણ કરી છે. ત્યારે નિત્યાનંદે પોતાના નવા દેશની એક વેબસાઇટ પણ બનાવી છે. આ વેબસાઇટમાં દાવો કર્યો છે કે કૈલાસા સીમાઓ વિનાનો દેશ છે.
વેબસાઇટ પર કૈલાસાને મહાનતમ હિન્દુ રાષ્ટ્ર ગણાવ્યું છે. અને તેની પાસે પોતાનો ખુદના દેશનો પાસપોર્ટ પણ છે. વેબસાઇટ મુજબ આ નિત્યાનંદના નવા દેશમાં સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને ભોજન પણ મુફ્તમાં આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને એક મંદિર આધારિત જીવન પ્રણાલી આપવીની પણ વાત કરે છે. નિત્યાનંદ હવે લોકોને પોતાના દેશના નાગરિક બનવા માટે પણ આમંત્રિક કરી રહ્યો છે અને સાથે જ લોકો પાસે દાન પણ માગી રહ્યો છે.
કૈલાસાની સ્પેશ્યલ વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં તેની તમામ માહિતી છે. આ વેબસાઈટનું નામ https://kailaasa.org/ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ