બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / સ્પોર્ટસ / sunil gavaskar says india need thats type of player ahead of india vs england 3rd test rajkot
Manisha Jogi
Last Updated: 04:34 PM, 8 February 2024
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવેલ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં બંને ટીમોએ 1-1થી બરાબરી કરી લીધી છે. હૈદરાબાદમાં રમાયેલ પહેલા મુકાબલામાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. યશસ્વી જયસ્વાલે બીજા મુકાબલામાં શાનદાર ઈનિંગ રમી હતી અને બેવડી સદી ફટકારી હતી. સુનિલ ગાવસ્કરે યશસ્વી જયસ્વાલના વખાણ કરતા જણાવ્યું છે કે, ભારતને આવા જ ખેલાડીની જરૂર હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર સુનિલ ગાવસ્કરે જણાવ્યું છે કે, ‘યશસ્વી જયસ્વાલે સાબિત કર્યું છે કે, તેઓ એક સારા લર્નર છે અને બીજી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી છે. ભારતને આવા જ ખેલાડીની જરૂર હતી અને ઈનિંગમાં જીત અપાવી શકે છે. કેટલાક બેટ્સમેન નિષ્ફળ સાબિત થયા છે. તમામ ખેલાડી આવ્યા અને તેમની વિકેટ પડી હતી.’
ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, ‘T20 ક્રિકેટમાં કેટલાક શાનદાર શોટ રમવાની જરૂર છે. ઘણી વાર એવું બને છે કે, બેટ્સમેનનું ટેંપરામેન્ટ બદલાઈ જાય છે. ટેસ્ટ ક્રિકેટ 5 દિવસની ગેમ છે, કેટલીક મેચ થોડા દિવસમાં પૂરી થઈ જાય છે. અગાઉ ઓલી પોપે શાનદાર ઈનિંગ રમી હતી, હવે યશસ્વી જયસ્વાલે શાનદાર ઈનિંગ રમી છે અને ભારતીય ટીમને જીત અપાવી છે.’
વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યશસ્વી જયસ્વાલે પહેલી ઈનિંગમાં બેવડી સદી ફટકારીને 396 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 290 બોલમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 209 કર્યા હતા. જયસ્વાલે 151 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં જયસ્વાલ શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા.
યશસ્વી જયસ્વાલે વર્ષ 2023 જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન જ તેણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ત્યારથી જયસ્વાલ ટેસ્ટ ટીમમાં સતત યથાવત છે. ટેસ્ટ ક્રિકેટમાં જયસ્વાલની બેટિંગ એવરેજ 45થી વધુ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime