બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Summer precautions started by government and gandhinagar updates
Bhavin Rawal
Last Updated: 11:27 AM, 8 April 2024
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હજુ આગામી ત્રણ મહિના ભારે ગરમી રહેવાની છે. આવા સમયમાં પાણીની વધુ જરુરીયાત રહે છે. ખાસ કરીને દૂરના છેવાડાના વિસ્તારો,ગામડાઓમાં તેમજ અનેક શહેરોમાં પાણીની સમસ્યા થતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારની વહીવટી તંત્રએ અત્યારથી જ કમર કસી છે. દર બુધવારે મળતી સેક્રેટરીઓની મીટીંગમાં મુખ્ય સચિવ રાજકુમારે પણ આ સંદર્ભમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ પાણી પુરવઠા બોર્ડના આઈએએસ અધિકારી શાહમીના હુસૈન પાસેથી માહિતી મેળવી હતી. ત્યાર બાદ સૂચના આપી હતી કે, આકરો ઉનાળો શરૂ થાય ત્યાર પહેલા જ નળ સે જળ યોજના હેઠળ આવતા ગામડાઓમાં તપાસ કરી લેવી. જ્યાં નળ બગડેલા હોય, તૂટી ગયા હોય તો તેને બદલી દેવા અથવા રીપેરીંગ કરાવી દેવુ. એટલુ જ નહી, જ્યાં નળ સે જળ યોજના અમલી ન બની શકી હોય તેવા તેમજ પાણીની સમસ્યાવાળા વિસ્તારોમાં પાણી પહોંચાવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી દેવી. જેમાં ટેન્કરથી પાણી પહોંચાડવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે. અમદાવાદની આસપાસના કેટલાયે ગામડાઓ તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં કઈ રીતે ટેન્કરથી પીવાનુ પાણી પહોંચાડવુ તેનુ આયોજન ઘડાઈ રહ્યુ છે. સચિવાલયમાં બાબુઓ કબુલી રહ્યા છે કે, આપણી પાસે પાણીનો એક જ મોટ સ્ત્રોત નર્મદા ડેમ છે. પરંતુ કેવડીયાથી કચ્છ સુધીના દૂરના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં કઈ રીતે બચત થઈ શકે તેના વિકલ્પો પણ વિચારાઈ રહ્યા છે.
અત્યારે લોકસભાની ચૂંટણીની સમગ્ર દેશભરમાં આચારસંહિતા લાગુ છે. જેને લઈને કોઈ નીતિ વિષયક નિર્ણય કરી શકાય નહી. એટલુ જ નહી, કોઈ નવા ટેન્ડર જારી કરી શકાય નહી, બદલી ન થઈ શકે. કેટલીયે બાબતોમાં ચૂંટણી પંચને મંજૂરી માટે ફાઈલો મોકલવી પડે છે. દર બુધવારે સચિવાલયમાં મળતી કેબિનેટની મંત્રીમંડળની બેઠક પણ આચારસંહિતાને કારણે બંધ છે. જેથી ટોચના અધિકારીઓને પણ સીધી કોઈ જ સૂચના આપી શકાતી નથી. ગુજરાતમાં 7મી મેના દિવસે ચૂંટણી-મતદાન છે.ગુજરાતમાં માત્ર એક જ તબક્કામાં તમામ 26 બેઠકોનુ મતદાન થવાનુ છે. ત્યાર બાદ પણ દેશના બીજા રાજ્યોમાં લોકસભાની બાકી રહેનારી બેઠકો માટે મતદાન ચાલુ રહેશે. 1લી જૂને 7મા અને અંતિમ તબક્કાનુ મતદાન અને 4થી જૂને મત ગણતરી છે. સચિવાલયમાં ફરજ બજાવતા બાબુઓ જણાવે છે કે, ગુજરાતની લોકસભાની 26 બેઠકોનુ મતદાન પૂર્ણ થયા બાદ આચારસંહિતામાં આંશિક રીતે રાહત મળશે. એટલે કે બંધ થયેલી કેબિનેટની બેઠક દર બુધવારે મળી શકશે. તેમજ નવા કામો પણ થઈ શકશે. મોટાભાગે સરકાર દ્રારા આંશિક આચારસંહિતામાં કોઈ મોટા નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોતા નથી. પરંતુ હાલમાં શિથિલ બનેલુ તંત્ર 8મી જૂનથી વાઈબ્રન્ટ મોડમાં આવી જશે.
ગુજરાતના ચાર સિનિયર IAS અધિકારી ત્રણ અઠવાડીયા માટે મૈસુરની સફરે ઉપડી ગયા છે. આ ચારેય અધિકારીઓને આઈએએસ કેડરમાં ફરજ બજાવ્યાને 25 વર્ષ પૂર્ણ થયા છે. નિયમો મુજબ હવે આ અધિકારીઓની મૈસુરીમાં આ છેલ્લી ટ્રેનિંગ રહેશે. આ ચારેય અધિકારીઓ પ્રિન્સિપલ સેક્રેટરીઓ છે. રવિવારે તેઓ મૈસુર જવા ઉપડી ગયા છે.જ્યાં તેઓ ત્રણ અઠવાડીયા જેટલો સમય રહેશે અને 27મીએ પરત આવી જશે તેમજ 29મી એપ્રિલથી પુનઃ ફરજ પર હાજર થઈ જશે.અત્રે નોંધનીય છે કે, આઈએએસ કેડરમાં જોઈન્ટ થયા બાદ સમયાંતરે તમામ આઈએએસ અધિકારીઓએ મૈસુર જઈને તાલીમ લેવી પડે છે. આ સંદર્ભમાં બાબુઓ હળવાશભર્યા મૂડમાં કહે છે કે, કેરિયરની શરૂઆતમાં આવી તાલીમ ખુબ જ જરૂરી હોય છે. પરંતુ કેડરમાં 25 વર્ષનો અનુભવ લીધા બાદ અમારે ખરેખર કોઈ જ તાલીમની જરૂરત રહેતી નથી. પરંતુ સરકારી નિયમો હોવાથી અમે ફોર્માલીટી પૂરી કરવા માટે તાલીમ લેવા જઈએ છીએ. તાલીમના બ્હાને અમે થોડો બ્રેક મળી રહે છે અને મૈસૂરીનો માહોલ એટલો સરસ હોય છે કે, અઠવાડીયુ ત્યાં રહીએ એટલે આખા વર્ષની તાજગી મળી જાય છે.
સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપે શોભનાબેન કાનજીભાઈ મકવાણાને ટિકિટ આપી છે. તેઓ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની બાલીસણા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જો રાજકીય પાર્ટીમાં જોડાવવુ હોય અને ચૂંટણી લડવી હોય તો શિક્ષિકા તરીકે રાજીનામુ આપવું પડે. ઉચ્ચ શિક્ષણમાં હોય તો ચૂંટણી લડી શકે અને જનપ્રતિનિધિ બની શકે પણ શોભનાબેન પ્રાથમિક શિક્ષિકા હતા એટલે રાજીનામુ આપવું પડવું પડ્યું. સરકારી નોકરી કરતા તમામ લોકોને રાજીનામુ આપવું પડે છે. એટલે ટિકિટ મળ્યા બાદ ભાજપના ઉમેદવાર શોભનાબેને 23મી માર્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે રાજીનામુ આપ્યુ હતુ. સામાન્ય રીતે કોઈપણ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ માગે ત્યારે અઢીથી ત્રણ મહિના જેટલો સમય થતો હોય છે. પરંતુ શોભનાબેનના કિસ્સામાં આ તમામ પ્રક્રિયાને માત્ર ત્રણ દિવસમાં જ પૂરી કરી લેવાઈ હતી. જેને લઈને શિક્ષકો મજાક કરી રહ્યા છે કે, સરકારી તંત્ર સામાન્ય શિક્ષકો અને કર્મચારીઓના કામમા પણ આટલી ઝડપ લાવતા હોય તો કેટલા બધા પ્રશ્નો હલ થઈ જાય. આ અગાઉ સ્વૈચ્છિક રાજીનામુ માત્ર ગણતરીના દિવસોમાં જ મંજૂર થયુ હોય તેવી કોઈને ખબર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog