બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / Subramanian Swamy says Qatar released ex soldiers because of Shah Rukh Khan, not PM Modi, King Khan gives clarification
Megha
Last Updated: 12:12 PM, 14 February 2024
બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. ગયા વર્ષે એમની તેની બ્લોકબસ્ટર ફિલ્મને કારણે ચર્ચાની વિષય બન્યા હતા અને હવે કતારમાં કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નેવી સૈનિકો પરત ફર્યા એ માટે સમાચારમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નૌકાદળના તે પૂર્વ અધિકારીઓને છોડાવવા પાછળ શાહરૂખનો હાથ છે.
Modi should take Cinema star Sharuk Khan to Qatar with him since after MEA and NSA had failed to persuade the Shiekhs of Qatar, Modi pleaded with Khan to intervene , and thus got an expensive settlement from the Qatar Shiekhs to free our Naval officers.
— Subramanian Swamy (@Swamy39) February 13, 2024
8 પૂર્વ નેવી સૈનિકોને છોડાવવામાં શાહરૂખ ખાનની મદદ લીધી
કતારમાંથી મુક્ત થયા બાદ, 8માંથી 7 ભૂતપૂર્વ મરીન 12 ફેબ્રુઆરીની રાત્રે ભારત પહોંચ્યા હતા એ વિશે વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી. એવામાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટિપ્પણી કરી છે. જેમાં એમને દાવો કર્યો હતો કે પીએમ મોદીએ કતારના 8 પૂર્વ મરીનને છોડાવવા માટે શાહરૂખ ખાનની મદદ લીધી છે.
એ બાદથી સતત લોકો પૂછી રહ્યા છે કે વડાપ્રધાને એક અભિનેતાની મદદ કેમ લેવી પડી? જો કે હવે આ સમગ્ર મામલે શાહરૂખ ખાનની પ્રતિક્રિયા આવી છે. તેમણે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે તેમને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી.
મોદીએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી હતી!
13 ફેબ્રુઆરીની સવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે તે આગામી બે દિવસ સુધી UAE અને કતારના પ્રવાસે જશે. અહીં તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે, જેથી તે દેશો સાથે ભારતના સંબંધો સુધરે. પીએમ મોદીએ એમ પણ લખ્યું કે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ તેમની સાતમી UAE મુલાકાત હશે. આ ટ્વીટના કોમેન્ટ બોક્સમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું- ''મોદીએ બૉલીવુડના સ્ટાર શાહરૂખ ખાનને પણ તેમની સાથે કતાર લઈ જવા જોઈએ. વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ જતાં મોદીએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી હતી.''
શાહરૂખ ખાન તાજેતરમાં કતાર ગયા હતા
શાહરૂખ ખાનનું નામ આ કેસ સાથે જોડાયું કારણ કે તે પણ તાજેતરમાં કતાર ગયા હતા. તેઓ ત્યાં કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને પણ મળ્યા હતા. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તે પછી સુબ્રમણ્યમ સ્વામીનું ટ્વીટ આવ્યું, જેમાં શાહરૂખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્વામીના આ ટ્વિટ બાદ આ સમાચાર વાયરલ થયા હતા.
આ દાવા પાયાવિહોણા છે
એવામાં હવે શાહરૂખ ખાન તરફથી એક નિવેદન સામે આવ્યું હતું જેમાં લખ્યું હતું કે“કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકાને લઈને કેટલાક અહેવાલો ચર્ચામાં છે. આમાં શાહરુખની સંડોવણી અંગે જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે. નૌસૈનિકોના રિલીઝને સારી રીતે પાર પાડવાનો સંપૂર્ણ શ્રેય માત્ર ભારત સરકારના અધિકારીઓને જાય છે. શાહરૂખ ખાન આ બાબત સાથે કોઈપણ રીતે જોડાયેલો નથી. અન્ય ભારતીયોની જેમ શાહરૂખ ખાન પણ ખુશ છે કે નેવી ઓફિસર્સ તેમના ઘરે સુરક્ષિત પાછા ફર્યા છે.'
આવી સ્થિતિમાં સુબ્રમણ્યમ સ્વામીની વાતનું ખુદ શાહરૂખ ખાને ખંડન કર્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ દાવાના સમર્થનમાં ન તો અન્ય કોઈ ટ્વિટ કર્યું છે કે ન તો અન્ય કોઈ પુરાવા રજૂ કર્યા છે. આમ, નેવી અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાનની કોઈ ભૂમિકા હોવાનો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો