બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત, શહેરમાં રોષનો માહોલ
Last Updated: 09:31 PM, 31 March 2026
જૂનાગઢમાં શ્રદ્ધાનું પ્રતિક ગણાતી ભક્તિ પરંપરાની પ્રતિમા સાથે અપ્રિય ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા સર્કલ ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને અજાણ્યા શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હોવાનો બનાવ સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
ગિરનાર દરવાજા સર્કલમાં 43 વર્ષથી પ્રતિમા સ્થાપિત
આ પ્રતિમા છેલ્લા લગભગ 43 વર્ષથી અહીં સ્થાપિત છે અને ધાર્મિક તથા સાંસ્કૃતિક રીતે શહેર માટે વિશેષ મહત્વ ધરાવે છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તેમજ ભક્તો સ્થળ પર એકત્રિત થયા હતા અને આ કૃત્યની કડક નિંદા કરી હતી.
ADVERTISEMENT

ટ્રસ્ટ દ્વારા પોલીસમાં કરાઇ લેખિત રજૂઆત
ADVERTISEMENT
નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પ્રતિમા પાસે પૂરતી લાઇટ વ્યવસ્થા અને સુરક્ષા જાળી મૂકવી જરૂરી છે.

ADVERTISEMENT
આરોપીને ઝડપી કડક કાર્યવાહીની માંગ
સ્થાનિક લોકોએ પણ માંગ ઉઠાવી છે કે પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને ઝડપીને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ બનાવને પગલે શહેરમાં ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને લોકોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતના બે IAS અધિકારીઓ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર જશે
પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને ઝડપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT