બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / stampede at mata vaishno devi bhawan on first day of 2022
ParthB
Last Updated: 10:18 AM, 1 January 2022
Jammu & Kashmir | Stampede at Mata Vaishno Devi Bhawan. Injuries reported; rescue operation underway: Police Control Room, Reasi
— ANI (@ANI) December 31, 2021
(file photo) pic.twitter.com/WqQidw16vF
વૈષ્ણો દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 12 લોકોના મોત થયા
જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 26 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર નાસભાગ મચી હતી. નવા વર્ષની શરૂઆતના અવસરે, શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી, જેઓ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના પ્રતિનિધિઓ સ્થળ પર છે.
#UPDATE: 12 dead in the stampede at Mata Vaishno Devi shrine in Katra. Casualties from Delhi, Haryana, Punjab, and 1 from J&K; more details awaited. Injured being taken to Naraina Hospital after rescue: Gopal Dutt, Block Medical Officer, Community Health Centre pic.twitter.com/5bpPgHlP8Z
— ANI (@ANI) January 1, 2022
રિપોર્ટ અનુસાર કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 12 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા અને મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. માતા વૈષ્ણો દેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ઓછામાં ઓછા 26 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી ANI રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું કે, કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે, 13 લોકો ઘાયલ છે. આ ઘટના સવારે 2.45 વાગ્યે બની હતી. સિંહે કહ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર, કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.
An ex-gratia of Rs 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to the stampede at Mata Vaishno Devi Bhawan in Katra, J&K. The injured would be given Rs. 50,000: PM Modi
— ANI (@ANI) January 1, 2022
(file pic) pic.twitter.com/LMePwZ95N6
PM મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કર્યું
આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ ઘટના બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને PMNRF તરફથી દરેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
माता वैष्णोदेवी मंदिर में हुई भगदड़ की दुर्घटना दुखद है।
— Rahul Gandhi (@RahulGandhi) January 1, 2022
मृतकों के परिवारजनों को मेरी शोक संवेदनाएँ। घायलों के जल्द स्वस्थ होने की कामना है।
🙏
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અકસ્માત પર ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું- માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
An ex-gratia of Rs 10 lakh for the next of kin of those who died in the stampede at Mata Vaishno Devi Bhawan in Katra; Rs 2 lakh for the injured: J&K LG Manoj Sinha pic.twitter.com/XiM0hfOlFE
— ANI (@ANI) January 1, 2022
બીજી તરફ કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને જમ્મુ અને કાશ્મીરના એલજી મનોદ સિન્હાએ રૂપિયા 10 લાખની સહાય અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે રૂ 2 લાખની સહાય જાહેર કરી છે.
હોસ્પિટલના ડોક્ટરો શું બોલ્યા ?
ન્યૂઝ એજન્સી ANI રિપોર્ટ અનુસાર, કટરા સ્થિત હોસ્પિટલના BMO ડૉક્ટર ગોપાલ દત્તે જણાવ્યું કે કટરાના માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે. આ ઘટનામાં દિલ્હી, હરિયાણા, પંજાબના રહેવાસીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા એક વ્યક્તિ પણ જમ્મુ-કાશ્મીરનો છે. તો આ તરફ રિયાસી ખાતેના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં લોકો ઘાયલ થયેલા લોકોનું હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. નાસભાગ બાદ પ્રશાસન અને મેનેજમેન્ટે આગળના આદેશ સુધી યાત્રા રોકી દીધી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime