બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:30 PM, 26 September 2025
એશિયા કપ 2025માં ભારત સામેની બે ક્રુર હાર પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના વિવાદાસ્પદ નિવેદનોને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને ફરિયાદ કરી છે. આ ફરિયાદને કારણે ICCના મેચ રેફરી રિચી રિચર્ડસને ભારતીય ક્રિકેટ ટીમને ઈ-મેલ મોકલીને જવાબ માંગ્યો છે. એક રિપોર્ટ અનુસાર, આ મામલો લેવલ-1ના ઉલ્લંઘન તરીકે ગણાશે, જેમાં બેનની સજા નહીં થાય પરંતુ મેચ ફી પર દંડ લાગી શકે છે. એશિયા કપ 2025ની લીગ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને બે વખત હરાવ્યા, જેનાથી પાકિસ્તાની ટીમ અને તેમના બોર્ડમાં હતાશા વ્યાપી ગઈ. આ હાર પછી પોસ્ટ મેચ પ્રેજેનટેશન અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવે આપેલા નિવેદનોને PCBએ અપમાનજનક ગણાવ્યા.
ADVERTISEMENT

PCBએ ICCને બે અલગ-અલગ ફરિયાદો કરી, જેમાં સૂર્યાના શબ્દોને ક્રિકેટની છબીને નુકસાન પહોંચાડનારા તરીકે દર્શાવ્યા. ICCએ આ ફરિયાદોને મેચ રેફરી રિચી રિચર્ડસને મોકલી દીધી, જેમણે તપાસ કરીને ભારતીય ટીમને ઈ-મેલ ભેજવામાં આવ્યો. રિચર્ડસના ઈ-મેલમાં લખ્યું છે કે, "ICCએ મને બે રિપોર્ટ હેન્ડલ કરવા મોકલ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સૂર્યકુમાર યાદવના મેચ પ્રેઝન્ટેશન અને પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદનોને લઈને બે ફરિયાદો નોંધાવી છે. તમામ રિપોર્ટ અને પુરાવાઓની તપાસ કર્યા પછી મારો નિષ્કર્ષ આ છે કે સૂર્યકુમારના નિવેદનોએ રમતની છબીને નુકસાન પહોંચાડ્યું છે, જે એક આરોપ બને છે. જો સૂર્યકુમાર આ આરોપ સ્વીકારતા નથી, તો તેમની સુનાવણી કરવામાં આવશે. તેમાં હું, સૂર્યકુમાર અને PCBના પ્રતિનિધિ ભાગ લેશે."
ADVERTISEMENT

ADVERTISEMENT
લીગ સ્ટેજના મેચમાં પાકિસ્તાનને હરાવ્યા પછી સૂર્યાએ કહ્યું હતું કે, "આ જીત પુલવામા હુમલાના પીડિતોને સમર્પિત છે." ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ વધુ કહ્યું કે, "આપણને સરકાર અને BCCIથી સૂચના મળી હતી કે જીત પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવો." આ નિવેદનોને PCBએ રાજકીય રંગ આપનારા અને ક્રિકેટને રાજકારણ સાથે જોડનારા તરીકે જોયા, જે ICCના નિયમોનું ઉલ્લંઘન છે. આ મામલાને ICCએ લેવલ-1ના ઉલ્લંઘન તરીકે વર્ગીકૃત કર્યો છે. ICCના કોડ ઓફ કંડક્ટ અનુસાર, લેવલ-1માં ખેલાડી પર બેન નહીં લાગે, પરંતુ મેચ ફીનો 50% દંડ થઈ શકે છે. જો સૂર્યા આરોપ સ્વીકારે તો દંડ થઈ જશે, અન્યથા સુનાવણીમાં નિર્ણય થશે. લેવલ-2, 3 કે 4ના ઉલ્લંઘનમાં જ બેનની શક્યતા છે, જેમાં 2-4 મેચની સજા થઈ શકે છે.

ADVERTISEMENT
આ વિવાદ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધોમાં વધુ તણાવ ઉમેરી રહ્યો છે. એશિયા કપ 2025માં બંને ટીમો વચ્ચેની મેચો હંમેશા રોમાંચક રહે છે, પરંતુ રાજકીય મુદ્દાઓ તેને અસર કરે છે. પુલવામા હુમલા (2019)ની યાદો હજુ તાજી છે, અને સૂર્યાનું નિવેદન તેને જીવંત કરી દીધું. PCBના અધિકારીઓએ કહ્યું કે આવા નિવેદનો ક્રિકેટને રાજકારણથી અલગ રાખવાના ICCના ધ્યેયને નુકસાન પહોંચાડે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હજુ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સૂત્રો કહે છે કે તેઓ સૂર્યાના બચાવમાં ઊભા રહેશે. ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે આ મામલો ફક્ત દંડ સુધી મર્યાદિત રહેશે, કારણ કે લેવલ-1માં કડક કાર્યવાહી નથી.
વધુમાં વાંચો: પ્રાઈવસી પર ખતરો! SBI સહિત 38 ભારતીય બેંકોનો ડેટા લીક થયાનો દાવો
ADVERTISEMENT
જોકે, આ વિવાદ એશિયા કપના ફાઇનલને વધુ તીવ્ર બનાવી શકે છે. ક્રિકેટના મેદાન પર રાજકારણનો ઘસારો ઘણી વખત જોવા મળે છે, પરંતુ આ વખતે ICCની તપાસથી ખેલાડીઓને વધુ સાવચેતી રાખવાની શીખ મળશે. સૂર્યકુમાર યાદવ, જે T20 કેપ્ટન તરીકે ઉભરી રહ્યા છે, તેમના આ નિવેદનને કેટલાક ભારતીય પ્રશંસકો સમર્થન આપે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તે વિવાદાસ્પદ છે. આ મામલાની સુનાવણી જલ્દી જ થઈ શકે છે, અને તેનું પરિણામ ક્રિકેટ જગતને જોવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.