બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, ગંભીર અને ગિલ ભૂલાયા, પોસ્ટ સો.મીડિયા પર વાયરલ
Last Updated: 05:33 PM, 5 August 2025
ભારતીય ટીમે ફરી એકવખત ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી દીધી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત સાથે ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાના આ વિજય બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ક્રિકેટ ચાહકો અને અનેક પૂર્વ ક્રિકેટરો શુભમન ગિલ અને ભારતીય ટીમના ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
Great win by team india. Resilience and determination from Siraj and Prasidh has given us this phenomenal victory. Special mention to Siraj who will put everything on the line for the team. Extremely happy for him ❤️@mdsirajofficial @prasidh43
— Virat Kohli (@imVkohli) August 4, 2025
5મી ટેસ્ટના છેલ્લા દિવસે ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી જ્યારે ઈંગ્લેન્ડને 35 વધુ રન બનાવવાના હતા. જેમાં મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી તે પહેલાં ચોથા દિવસે પ્રસિદ્ધ કૃષ્ણાએ મેચ પૂર્ણ થાય તે પહેલાં જો રૂટની મોટી વિકેટ ઝડપી લીધી હતી. મોહમ્મદ સિરાજને 5મી ટેસ્ટનો મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો, તેણે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી અનેે પ્રથમ ઇનિંગમાં પણ 4 વિકેટ લીધી હતી. ભારતે છેલ્લી ટેસ્ટ 6 રનથી જીતી અને શ્રેણી 2-2 થી ડ્રો કરી હતી. શુભમન ગિલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ગિલે 4 સદીની મદદથી કુલ 754 રન બનાવ્યા.
ADVERTISEMENT
No mention of Gill & Gambhir
— Sandip भारत 🇮🇳 (@IndiaBottomline) August 4, 2025
Didn’t expect this from you Virat
This is an amazing victory .
વિરાટ કોહલીએ પણ ટીમ ઇન્ડિયાને આ મોટી સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખાસ કરીને બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના વખાણ કર્યા હતા. કોહલીએ લખ્યું હતું કે, સિરાજ અને પ્રસિદ્ધે ધીરજ સાથે શાનદાર બોલિંગ કરી ભારતને વિજય અપાવ્યો છે. સિરાજનું નામ ખાસ લેવું પડે કારણકે તે હંમેશા ટીમ માટે પોતાનું સંપૂર્ણ આપી દે છે. વિરાટ કોહલીની આ પોસ્ટમાં કોચ ગૌતમ ગાંભીર અને કેપ્ટન શુભમન ગિલનો કોઈ ઉલ્લેખ ન કર્યો હતો, જે બાદ તેમની પોસ્ટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
ADVERTISEMENT
Bro, guess, you've missed appreciating @ShubmanGill for his Captaincy!
— Sharon Solomon (@BSharan_6) August 4, 2025
ADVERTISEMENT
વિરાટની પોસ્ટ અંગે ચર્ચા એટલી વધી છે કે ક્રિકેટ રસિયાઓ એ પણ આ મામલે પોતાની પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. વિરાટ કોહલીની પોસ્ટ પછી કેટલાક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું કે કોહલીએ ગિલની કેપ્ટનશીપની પ્રશંસા કેમ કરી નહીં? તો બીજાએ કહ્યું કે, ગૌતમ ગાંભીરના યોગદાનનો પણ ઉલ્લેખ થવો જોઈએ હતો.
વધુ વાંચો : મોહમ્મદ સિરાજને એક મેચ રમવાના આટલા રૂપિયા આપે છે BCCI, નેટવર્થ કરોડોમાં
ADVERTISEMENT
વિરાટ કોહલી અને ગૌતમ ગાંભીર વચ્ચેના સંબંધો અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે અને હવે ફરી એકવાર તેમને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા જાગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.