બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિમાન દુર્ઘટનાએ પુત્ર તો છીનવ્યો, પરંતુ બાદમાં આવ્યું જીવનનું અજાણ્યું સત્ય

અમદાવાદ પ્લેન ક્રેશ / વિમાન દુર્ઘટનાએ પુત્ર તો છીનવ્યો, પરંતુ બાદમાં આવ્યું જીવનનું અજાણ્યું સત્ય

Vishal Khamar

Last Updated: 12:58 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઈન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દીવના એક ટેક્સીચાલકના પુત્રનું મોત નિપજ્યું હતું. પરંતું પુત્રના અવસાન બાગ સામે આવેલ હકીકતને સમગ્ર પરિવારને આઘાતમાં મૂકી દીધો હતો.

એર ઇન્ડિયાની એઆઈ-171 વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવનમાં ક્યારેય ન ભરાઈ શકે એવા ઘા આપ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના રહેવાસી અને ટેક્સીચાલક રફીક મોહમ્મદ માટે આ દુર્ઘટનાની પીડા માત્ર પુત્રવિયોગ પૂરતી મર્યાદિત રહી નહોતી. પુત્રના અવસાન બાદ સામે આવેલી એક હકીકતે આખા પરિવારને વધુ મોટા આઘાતમાં મૂકી દીધો.

45 વર્ષીય રફીક મોહમ્મદનો ૨૫ વર્ષનો પુત્ર ફૈઝાન છેલ્લાં પાંચ વર્ષથી બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. દાંતની સારવાર માટે તે થોડા સમય માટે દીવ આવ્યો હતો અને સારવાર પૂર્ણ થયા બાદ ફરી બ્રિટન પરત જવા નીકળ્યો હતો, પરંતુ ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદથી ઉડાન ભર્યા બાદ એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ફૈઝાનનું જીવન અકાળે સમાપ્ત થઈ ગયું.

એક વર્ષ પછી પણ રફીક માટે પુત્રના વિયોગની વાસ્તવિકતા સ્વીકારવી મુશ્કેલ બની રહી છે. તેઓ કહે છે કે ફૈઝાનનાં અનેક સપનાં હતાં અને પરિવારને તેની પાસેથી ઘણી આશાઓ હતી. નાનો પુત્ર આજે પણ મોટા ભાઈની રાહ જોતો રહે છે.

પરિવારની કસોટી અહીં પૂરી થઈ નહોતી. દુર્ઘટના બાદ વળતરની પ્રક્રિયા શરૂ થતાં એક એવી માહિતી સામે આવી, જેના વિશે પરિવારને કોઈ જ જાણ નહોતી. અધિકારીઓએ જણાવ્યું કે ફૈઝાને મૃત્યુના આશરે છ મહિના પહેલાં ગુજરાતની એક યુવતી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. રફીક મોહમ્મદ કહે છે કે વળતરના ફોર્મમાં પત્ની તરીકે એક મહિલાનું નામ નોંધાયું ત્યારે જ તેમને આ બાબતની જાણ થઈ. પરિવાર માટે આ સમાચાર અવિશ્વસનીય હતા, કારણ કે ફૈઝાને પોતાનાં લગ્ન વિશે ક્યારેય કોઈ વાત કરી નહોતી.

આ ખુલાસા બાદ વળતરની રકમને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ. પરિવારને જણાવાયું હતું કે જો બંને પક્ષો વચ્ચે સહમતી થાય તો વળતરનું વિતરણ થઈ શકે, જોકે રફીકના જણાવ્યા મુજબ તેમની પાસે ફૈઝાનની પત્નીનો કોઈ સંપર્ક નહોતો અને સમગ્ર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા મેળવવા તેઓ સતત અધિકારીઓનો સંપર્ક કરતા રહ્યા.

અંતે થોડા દિવસ પહેલાં તેમને એક ઈ-મેઈલ મળ્યો, જેમાં જણાવાયું હતું કે એરલાઇન અને ટાટા ગ્રૂપ તરફથી ફૈઝાનની પત્નીને વળતર અપાઈ ચૂક્યું છે. પરિવારને અત્યાર સુધી કોઈ રકમ મળી નથી. ટેક્સી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રફીક કહે છે કે પુત્રના અવસાન બાદ ઘર ચલાવવું જ મુશ્કેલ બન્યું છે. એવામાં વળતરને લઈને સર્જાયેલી સ્થિતિએ તેમની ચિંતામાં વધુ વધારો કર્યો છે.

આ પણ વાંચોઃ અ'વાદ પ્લેન ક્રેશમાં ભોગ બનનાર આકાશની નિશાની હજી ત્યાંની ત્યાં, આંસુ ભરી આંખે પરિવાર જોઈ રહ્યો છે રાહ!

તેઓ ભાવુક સ્વરે જણાવે છે કે પુત્રને ગુમાવવાનું દુઃખ જ પૂરતું હતું, પરંતુ પછી ખબર પડી કે તેણે જીવનનો એટલો મોટો નિર્ણય અમારાથી છુપાવ્યો હતો. આ સત્ય સ્વીકારવું આજે પણ એટલું જ મુશ્કેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

aviation accident Air India crash Ahmedabad crash
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ