બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / Somwar Upay monday remedies to get success in career and business

Somwar Upay / સોમવારે કરો આ ઉપાય: ઘોડાની રફ્તારે દોડશે વેપાર-ધંધો, દરેક કાર્યોમાં મળશે સફળતા, ખીલી ઉઠશે ભાગ્ય

Arohi

Last Updated: 04:15 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Somwar Upay: અઠવાડિયાના સાત દિવસ અલગ અલગ દેવી-દેવતાઓને સમર્પિત છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને શ્રાવણમાં તેનું મહત્વ વધારે વધી જાય છે.

  • સોમવારે કરવામાં આવે છે ભગવાન શિવની પૂજા 
  • શ્રાવણમાં વધી જાય છે શિવપૂજાનું મહત્વ
  • સોમવારે કરો આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે અમુક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 ઓગસ્ટે સાંજે 4.39 મિનિટ સુધી સિદ્ધિ યોગ રહેશે. આ યોગ કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવા અને પ્રભુના નામનો જાપ કરવા માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે આ યોગમાં જે પણ કામ કરવામાં આવે છે તે જરૂર સફળ થાય છે. એવામાં સોમવારના દિવસે આ ઉપાય કરવાથી ફાયદો થશે. 

સોમવારના દિવસે કરો આ ઉપાય 

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની સુખ-સમૃદ્ધિમાં વિકાસ માટે ભગવાન શિવની આજના દિવસે ઉપાસના કરો અને સાથે જ 108 વખત 'ऊँ नमः शिवाय' મંત્રનો જાપ કરો. 
  • ત્યાં જ જો તમે ધન-સંપત્તિમાં વધારો ઈચ્છો છો તો ઘરની તિજોરીને હંમેશા ભરેલું રાખો અને આ દિવસે સવા કિલો આખા ચોખા લો અને અમુક ચોખા ભગવાન શિવને મંદિરમાં ચડાવો. બાકી બચેલા ચોખાને કોઈ જરૂરીયાતમંદને દાન કરી દો. તેનાથી તમારો ધન ભંડાર હંમેશા ભરેલો રહેશે. 
  • જીવનમાં પ્રગતિ માટે નવા રસ્તા ખોલવા જોઈએ. તો આ દિવસે ખેરના ઝાડની ઉપાસના કરો. સાથે જ હાથ જોડીને પ્રણામ કરો. જ્યોતિષ અનુસાર જો તમને ખેરનું ઝાડ જોવા ન મળે તો ઈન્ટરનેટથી ખેરના ઝાડનો ફોટો ડાઉનલોડ કરીને તેના દર્શન પણ કરી શકો છો. તેની સાથે જ તેને પોતાની સાથે આખો દિવસ રાખો. તેનાથી જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલે છે. 
  • કાર્યોમાં સફળતા પ્રાપ્તિ માટે આ દિવસે ઘરમાં હરણનો એક એવો ફોટો લગાવો જેમાં હરણનું મુખ તમારા સામે હોય. જણાવી દઈએ કે તે મૃગશિરા નક્ષત્રનું પ્રતીક માનવામાં આવે છે. સિંગડા વગરનું હરણ તેનું પ્રતીક છે. સિંગડા વાળુ હરણ નહીં. તેની સાથે જ તેનું પણ ધ્યાન રાખો કે ફોટો એવી દિશામાં લગાવવો જોઈએ કે તમારી નજર પડતી રહે. તેનાથી વ્યક્તિને કાર્યોમાં સફળતા મળે છે. 
  • ભવિષ્ય માટે કરિયરમાં લક્ષ્ય નિર્ધારિત ન કરી શકતા હોય તો આ દિવસે શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો અને અભિષેક કરતા ઓમ શબ્દનો ઉચ્ચારણ કરો. તેનાથી તમે ભવિષ્યમાં લક્ષ્ય નિર્ધારિત કરી શકશો. 
  • જો તમે કોઈ ઈચ્છા અનુસાર જીવનસાથી મેળવવા માંગો છો કે લગ્નમાં પ્રેમ યથાવત રાખવા માંગો છો તો આજે જળમાં થોડુ કેસર અને અમુક ફૂલ નાખીને શિવલિંગ અર્પિત કરો. તેનાથી જલ્દી જ ઈચ્છા અનુસાર જીવનસાથી મળે છે અને બન્નેની વચ્ચે પ્રેમ વધે છે. 
  • બિઝનેસ વધારવા માટે રંગોલી વાળા પાંચ અલગ અલગ રંગ લો. સાંજના સમયે શિવ મંદિરમાં જાઓ અને તે રંગોથી એક નાનકડી ગોળ આકૃતિ બનાવો. હવે આ રંગોલીની વચ્ચે ઘીનો દીવો કરો અને બિઝનેસમાં વધારા માટે ભગવાનને પ્રાર્થના કરો. 
  • સ્વાસ્થ્ય સંબંધી લાભ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સોમવારે સ્નાન બાદ શિવમંદિરમાં શુદ્ધ જળમાં થોડા ટીંપા દૂધ અને ગંગાજળ નાખી શિવલિંગ પર અર્પિત કરો. તેની સાથે જ ભગવાન પાસે સારા સ્વાસ્થ્ય અને સારા જીવનની પ્રાર્થના કરો. તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ