બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:05 AM, 1 November 2025
ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને શનિવારે સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ સમાચારની પુષ્ટિ કરી અને તેના હાલના સ્વાસ્થ્ય વિશે વિગતો આપી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન કેચ પકડવા માટે પાછળની તરફ દોડતી વખતે શ્રેયસને પાંસળીમાં ઈજા થઈ હતી. તેને સઘન સંભાળ એકમ (ICU) માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ BCCI એ પુષ્ટિ આપી કે તે હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે.
ADVERTISEMENT
હમણાં ભારત નહીં આવે
એવા પણ સમાચાર છે કે ઐયર હમણાં ભારત નહીં આવે કારણ કે તેને ફોલોઅપ માટે સિડની રોકાવું પડે તેમ છે. બીસીસીઆઈએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.
ADVERTISEMENT
શ્રેયસ કેચ લેતી વખતે ઘાયલ થયો હતો
ADVERTISEMENT
શ્રેયસ ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવથી પીડાઈ રહ્યો હતો જેના કારણે તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તેને ટૂંક સમયમાં આઈસીયુમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ તેની સારવાર ચાલુ હતી. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે ઐયર ઘાયલ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન કેરીએ હર્ષિત રાણાના બોલ પર ઊંચો શોટ રમ્યો. બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા ઐયર ઝડપથી દોડ્યા અને સફળતાપૂર્વક કેચ પકડ્યો, પરંતુ જમીન પર પડતાં તેને ડાબી પાંસળીમાં જોરદાર ફટકો પડ્યો. આ પછી, તેને મેદાનની બહાર જવું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.