બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Arohi
Last Updated: 08:43 AM, 23 March 2024
શનિવારના દિવસે ભગવાન શનિ દેવની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. જો તમે પણ શનિની સાડેસાતી અને ઢૈય્યા જેવા દોષથી છુટકારો મેળવવા માંગો છો તો શનિવારના દિવસે શનિ દેવને તલ અને તેલ જરૂર અર્પિત કરો. તેની સાથે જ દર શનિવારે પીપળના ઝાડની નીચે દિવો કરવાને પણ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
શનિવારે કરો આ ઉપાય
ઘરમાં શાંતિ માટે
જો તમારા પરિવારના સદસ્યોની વચ્ચે ઝગડા થઈ રહ્યો છે જેનાથી ઘરની સ્થિતિ અશાંત રહે છે તો પૂર્વા ફાલ્ગુણી નક્ષત્રમાં એક માટીના દિવામાં ચાર કપૂર મુકી તેને સળગાવો. આ દિવાની આખા ઘરમાં ધૂપ કરો અને બાદમાં તેને પોતાના ઘરના મંદિરમાં રાખો.
દરેક કામમાં સફળ થવા માટે
જો તમે પોતાના જીવનમાં દરેક કામ સફળ થાય તે માટે અને શુભ ફળ સુનિશ્ચિત કરવા માંગો છો તો આજના દિવસે તમને ઢાંક કે પલાશના વૃક્ષની ઉપાસના કરવી જોઈએ. જો આસપાસ ક્યાંય વૃક્ષ હોય તો તેના મૂળમાં જળ અર્પિત કરો. સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે તમે આજના દિવસે ઢાંક કે પલાશના વૃક્ષને કોઈ પ્રકારની હાની ન પહોંચાવો.
વેપારમાં મંદી હોય તો કરો આ ઉપાય
જો તમારા વેપારમાં મંદી ચાલી રહી છે અને તમે પોતાના કામને આગળ વધારવા માંગો છો તો આજના દિવસે એક માટીના વાસણમાં મધ ભરી તેને ઢાંકણ લગાવી તેને ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રાખો અને આજનો આખો દિવસ ત્યાં જ રહેવા દો. બીજા દિવસે તેને લઈન મનમાં તમારા વેપારની પ્રગતિ માટે પ્રાર્થના કરી તેને કોઈ એકાંત જગ્યા પર મુકી આવો.
ધન-ધાન્ય અને ભૌતિક સુખો માટે
જો તમે ધન-ધાન્ય અને ભૌતિક સુખોમાં વધારો મેળવવા માંગો છો તો આજના દિવસે એક પલાશના ફૂલ અને સાથે જ એક એકાક્ષી નારિયેલને એક સફેદ રંગના કપડામાં બાધીને તેને પોતાની તિજોરીમાં કે પોતાના ઘરમાં જે સ્થાન પર ધન મુકો છો ત્યાં મુકી દો.
શનિની ઢૈય્યાથી બચવા
શનિની ઢૈય્યાના પ્રભાવથી બચવા માટે આજના દિવસે એક કટોરીમાં સરસવનું તેલ લઈને તેમાં એક રૂપિયાનો સિક્કો મુકી તેમાં પોતાનો ચહેરો જોવાનો પ્રયત્ન કરો અને પછી તેને દાનમાં આપીદો. આ ક્રિયા 7 શનિવાર સુધી કરો. તેનાથી શુભ ફળ પ્રાપ્ત થશે.
વધુ વાંચો: જન્મતારીખ મુજબ જુઓ આજે તમને થશે કયો લાભ, આ લોકોનું આર્થિક પાસું બનશે મજબૂત
તબીયત ખરાબ રહેતી હોય તો કરો આ ઉપાય
જો તમારી તબીયત સારી નથી રહેતી તો આજના દિવસે જવારના લોટની રોટલી બનાવી ગાયને ખવડાવો અને હાથ જોડીને આશીર્વાદ લો. પરંતુ જો તમે જવારના લોટની રોટલી ન બનાવી શકો તો આખા જવારના દાણા કોઈ મંદિરમાં દાન કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog