ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સેમસન પર ભરોસો મુક્યો છે અને તેને ઈંડિયા એ ટીમનો કેપ્ટન બનાવી દીધો છે.
ટી 20 વર્લ્ડ કપની ટીમનું એલાન થયું હતું
તેમાં બાકી રહેલા ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તક આપી
આ સીરીઝ માટે સંજૂ સૈમસનને કેપ્ટન બનાવ્યો
ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમે એલાન કર્યા બાદ કેટલાય ખેલાડીઓની પસંદગી ન થતાં ચર્ચા થઈ રહી હતી. ખાસ કરીને વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સેમસનને ફરીથી નજરઅંદાજ કરતા ફેન્સ નારાજ થઈ ગયા છે. વર્લ્ડ કપ માટે ભલે સેમસનને ફરીથી મોકો ન મળ્યો હોય, પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સેમસન પર ભરોસો મુક્યો છે અને તેને ઈંડિયા એ ટીમનો કેપ્ટન બનાવી દીધો છે. સેમસન ટૂંક સમયમાં જ ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ શરુ થનારી વન ડે સીરીઝ માટે ટીમની કેપ્ટનસી કરશે.
NEWS - India "A" squad for one-day series against New Zealand "A" announced.
બીસીસીઆઈ દ્વારા પસંદ કરાયેલી 16 સભ્યોની ટીમમાં મોટા ભાગના એવા ખેલાડીઓ છે, જે વર્લ્ડ કપમાં ટીમમાં પસંદ થવા માટે દાવેદાર હતા, પણ તેમને ઓસ્ટ્રેલિયન ધરતી પર થનારી ટૂર્નામેન્ટ માટે ચાન્સ નથી મળ્યો, આ ખેલાડીઓમાં સેમસન ઉપરાંત પૃથ્વી શો, કુલદીપ યાદવ, શાર્દૂલ ઠાકુર, ઉંમરાન મલિક જેવા પ્લેયરનું નામ સામેલ છે, હવે આ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ સીરીઝમાં સારુ પ્રદર્શન કરીને પસંદ કર્તાનું ધ્યાન આકર્ષિત કરવા માગશે.
ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ વન ડે સીરીઝની ત્રણ મેચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. બાદમાં 25 અને 27 સપ્ટેમ્બરે બાકીની બે મેચનું આયોજન થશે. હાલમાં ન્યૂઝીલેન્ડ એ ટીમ ઈંડિયા એ વિરુદ્ધ ત્રણ મેચની અનઓફિશિયલ ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ રમી રહી છે.