બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Sam Pitroda's statement raised the stakes of politics, war between BJP and Congress over wealth

લોકસભા ચૂંટણી 2024 / સેમ પિત્રોડાના નિવેદનથી રાજનીતિનો પારો હાઇ, સંપત્તિ મામલે ભાજપ અને કોંગ્રેસમાં વોર

Published By: Vishal Dave

Last Updated: 07:10 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટિલે કહ્યું  કોઈ વ્યક્તિ પોતાના બાળકો માટે મહેનત કરતો હોય છે. આ મહેનત બાદ  એ વ્યક્તિનું મોત થાય, તો સંપત્તિ તેના પરિવારને મળે છે. જો કે, કોંગ્રેસને વારસામાં મળતી આ સંપત્તિ પણ મંજૂર નથી..

સેમ પિત્રોડાના સંપત્તિવાળા નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના  સલાહકાર સેમ પિત્રોડા પોતાના વિચારો લગાવે છે. સાથે કોંગ્રેસ પણ સેમ પિત્રોડાના વિચારોને માને છે.. કોઈ વ્યક્તિ પોતાના બાળકો માટે મહેનત કરતો હોય છે. આ મહેનત બાદ  એ વ્યક્તિનું મોત થાય, તો સંપત્તિ તેના પરિવારને મળે છે. જો કે, કોંગ્રેસને વારસામાં મળતી આ સંપત્તિ પણ મંજૂર નથી..

કોંગ્રેસની સરકાર આવશે તો 55 ટકા ટેક્સ ભરવો પડશેઃ પાટીલ 

તેમણે કહ્યું કે  જો કોંગ્રેસની સરકાર આવશે, તો 55 ટકા ટેક્સ ભરવો પડશે.. આ માટે જ રાહુલ ગાંધીએ સંપત્તિનો સરવે કરવા માટે કહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંહે દેશની સંપત્તિમાં લઘુમતીનો અધિકાર હોવાનું નિવેદન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ ભાવના પૂર્ણ થવા દેશે નહીં.

કોંગ્રેસે આપ્યો વળતો જવાબ 
બીજી તરફ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ સી.આર.પાટીલ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર માત્ર જુઠાણું જ ફેલાવે છે..ઠેર ઠેર જૂઠાણા ફેલાવવાનું ભાજપનું સુનિયોજિત આયોજન છે….મનમોહનસિંહે કહ્યું હતું કે દેશમાં વિકાસ કરવો હોય તો આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પર ભાર મૂકવો પડે.. જેથી ભાજપે જુઠ્ઠાણું ફેલાવવાને બદલે 10 વર્ષમાં કરેલા કામનો હિસાબ આપવાની જરૂર છે.

આ પણ વાંચોઃ  'ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો, મોદી સામે નહીં', સી આર પાટિલનું મોટું નિવેદન

સેમ પિત્રોડાએ શું કહ્યુ હતું. 

યુએસના શિકોગોમાં સેમ પિત્રોડાને રાહુલ ગાંધીના વાયદા પર સવાલ પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે અમેરિકામાં લાદવામાં આવેલા વારસાગત ટેક્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે અમેરિકામાં વિરાસત ટેક્સ છે જો કોઇ વ્યક્તિ 100 મિલિયન ડોલરની સંપતિ મુકીને મરી જાય છે તો તેની મિલકતમાંથી 45 ટકા તેના વારસદારને મળે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની બની જાય છે.  તેમણે સ્પષ્ટ કર્યુ કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમીરોની સંપતિની વહેંચણીનો કોઇ ઉલ્લેખ નથી. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એવી નીતી બનાવશે કે સંપતિનું સમાન વિતરણ થશે.

 

 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

BJP CR patil Pitroda Wealth congress manifesto rahul gandhi loksabha election 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ