બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ગુજરાત / Politics / Sam Pitroda's statement raised the stakes of politics, war between BJP and Congress over wealth
Vishal Dave
Last Updated: 07:10 PM, 25 April 2024
સેમ પિત્રોડાના સંપત્તિવાળા નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના સલાહકાર સેમ પિત્રોડા પોતાના વિચારો લગાવે છે. સાથે કોંગ્રેસ પણ સેમ પિત્રોડાના વિચારોને માને છે.. કોઈ વ્યક્તિ પોતાના બાળકો માટે મહેનત કરતો હોય છે. આ મહેનત બાદ એ વ્યક્તિનું મોત થાય, તો સંપત્તિ તેના પરિવારને મળે છે. જો કે, કોંગ્રેસને વારસામાં મળતી આ સંપત્તિ પણ મંજૂર નથી..
કોંગ્રેસની સરકાર આવશે તો 55 ટકા ટેક્સ ભરવો પડશેઃ પાટીલ
તેમણે કહ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે, તો 55 ટકા ટેક્સ ભરવો પડશે.. આ માટે જ રાહુલ ગાંધીએ સંપત્તિનો સરવે કરવા માટે કહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંહે દેશની સંપત્તિમાં લઘુમતીનો અધિકાર હોવાનું નિવેદન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ ભાવના પૂર્ણ થવા દેશે નહીં.
કોંગ્રેસે આપ્યો વળતો જવાબ
બીજી તરફ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ સી.આર.પાટીલ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર માત્ર જુઠાણું જ ફેલાવે છે..ઠેર ઠેર જૂઠાણા ફેલાવવાનું ભાજપનું સુનિયોજિત આયોજન છે….મનમોહનસિંહે કહ્યું હતું કે દેશમાં વિકાસ કરવો હોય તો આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પર ભાર મૂકવો પડે.. જેથી ભાજપે જુઠ્ઠાણું ફેલાવવાને બદલે 10 વર્ષમાં કરેલા કામનો હિસાબ આપવાની જરૂર છે.
સેમ પિત્રોડાએ શું કહ્યુ હતું.
યુએસના શિકોગોમાં સેમ પિત્રોડાને રાહુલ ગાંધીના વાયદા પર સવાલ પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે અમેરિકામાં લાદવામાં આવેલા વારસાગત ટેક્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે અમેરિકામાં વિરાસત ટેક્સ છે જો કોઇ વ્યક્તિ 100 મિલિયન ડોલરની સંપતિ મુકીને મરી જાય છે તો તેની મિલકતમાંથી 45 ટકા તેના વારસદારને મળે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની બની જાય છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમીરોની સંપતિની વહેંચણીનો કોઇ ઉલ્લેખ નથી. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એવી નીતી બનાવશે કે સંપતિનું સમાન વિતરણ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો