બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Salangpur Hanuman Temple Controversy: Mahasamelan will be held in Limbdi today

વિરોધના સૂર / ભીંતચિત્રો બાદ હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યને લઇ સંતો મેદાને, આજે લીંબડીમાં મહાસંમેલન

Malay

Last Updated: 08:52 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીંબડીમાં સંત મહાસંમેલન: આજે લીંબડી ખાતે યોજાનારા સંત મહાસંમેલનમાં દેશભરના મહામંડલેશ્વર અને સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે થશે ચર્ચા,

  • લીંબડીમાં સંતોનું મળશે મહાસંમેલન
  • સાહિત્યમાં ફેરફાર કરવાના મુદ્દે થશે ચર્ચા 
  • સંતો લીંબડીમાં કરશે ચર્ચા વિચારણા 
  • દેશભરના મહામંડલેશ્વર બેઠકમાં લેશે ભાગ 

Salangpur Temple Controversy News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલા મનદીપ પાર્ટી પ્લોટ ખાતે આજે સંતોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આજે દેશભરના મહામંડલેશ્વર, સાધુ-સંતો, ટ્રસ્ટ-NGOના આગેવાનો, હિન્દુ સંગઠનોના હોદ્દેદારો આ સંત મહાસંમેલનમાં હાજરી આપશે. સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજી મહારાજની ભવ્ય પ્રતિમાની નીચે કણપીઠમાં કંડારવામાં આવેલા ભીંતચિત્રો દૂર કરાયા બાદ હવે આજના સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આજના સંત સંમેલન પર તમામની નજર
લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુ દ્વારા મહાસંમેલનની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સંમેલનમાં સંતો અને મહંતો પોતાના વિચારો રજૂ કરશે. તમામ લોકોની નજર આજના સંત મહાસંમેલનની ઉપર છે. આ સંમેલનમાં શું આખરી નર્ણય લેવામાં આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. કારણ કે આજે દેશભરના મહામંડલેશ્વર અને સંતો લીંબડી સંત મહાસંમેલનમાં હાજરી આપશે. જેમાં તેમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આજના સંત મહાસંમેલનમાં જ્યોર્તિનાથજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, ઋષિ ભારતીબાપુ હાજર રહેશે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આજના આ સંત મહાસંમેલનમાં 2 હજાર જેટલા સનાતમ ધર્મના લોકો પણ હાજર રહી શકે છે.

સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોમાં ભભૂકી ઉઠ્યો હતો રોષ
આપને જણાવી દઈએ કે, સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં આવેલી હનુમાનજી મહારાજની 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. નીલકંઠ વર્ણીને હનુમાનજી નમન કરતા હોવાના ચિત્રો દર્શાવાતા સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. રાજ્યભરમાં આ ભીંતચિત્રોને વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી. 

સરકારે કર્યો હતો હસ્તક્ષેપ 
આ મુદ્દે એક તરફ સાધુ-સંતોની બેઠકોનો દોર શરૂ થયો હતો, જ્યારે બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બેઠક ઉપર બેઠક કરી રહ્યા હતા. સનાતની સાધુ-સંતોએ કોર્ટથી માંડીને તમામ રીતે લડી લેવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે વિવાદ વકરતા ગુજરાત સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. 

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હટાવાયા ભીંતચિત્રો 
ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો, VHP તથા સાધુ-સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થયા બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી અને આખરે મંદિર પરિસરમાંથી બંને વિવાદિત ચિત્રો દૂરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ મોડી રાતે સાળંગપુર ખાતે મંદિર પરિસરમાં વિવાદિત ભીંતચિત્રોને દૂર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હનુમાનજીના ભીંતચિત્રોને હટાવાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ