બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Rules for wearing Tulsi Mala know who can wear it and who cant

ધર્મ / તુલસી માળા પહેરવાના નિયમ: માંસ-મદિરાને હાથ પણ ન લગાવી શકાય, જાણો કોણ પહેરી શકે અને કોણ નહીં

Arohi

Last Updated: 03:59 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rules for wearing Tulsi Mala: તુલસીના છોડની જેમ જ તુલસીની માળાનું પણ ખૂબ જ મહત્વ છે. તુલસીની માળા પહેરવાથી વ્યક્તિને ઘણા પ્રકારના લાભ થાય છે.

  • તુલસીની માળાનું પણ છે ખૂબ મહત્વ
  • તેનાથી થાય છે અનેક પ્રકારના લાભ 
  • આ લોકોએ ક્યારેય ન પહેરવી તુલસીની માળા 

સનાતન ધર્મમાં લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. લોકો તેની નિયમ અનુસાર પૂજા કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તુલસીના છોડ જેટલું જ તુલસીની માળા ધારણ કરવાનું મહત્વ હોય છે. તુલસીની માળા પહેરવાથી વ્યક્તિને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તુલસીની માળા સાથે જોડાયેલા નિયમો ફોલો કરવામાં આવે. 

ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ ખાસ ફળદાયી માનવામાં આવ્યો છે. એવામાં જો તમે તુલસીની માળા ગળામાં ધારણ કરો છો તો મન અને આત્મા બન્ને પવિત્ર થઈ જાય છે. તેના ઉપરાંત મનમાં સકારાત્મક વિચારનું સંચાર વધવા લાગે છે. 

આ લોકોએ ન પહેરવી જોઈએ તુલસીની માળા 
માંસાહારી અને દારૂ પીતા લોકો 

જો તમે તુલસીની માળા ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના સાથે જોડાયેલા નિયમ પણ જાણી લો. જણાવી દઈએ કે જો તમે આ માળાને ધારણ કરી રહ્યા છો તો માંસનું સેવન કરવાથી બચવું જોઈએ. સાથે જ તામસિક ભોજન ન કરવું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. 

રૂદ્રાક્ષ ધારણ કરતા લોકોએ ન પહેરવી તુલસીની માળા 
જે વ્યક્તિએ તુલસીની માળા ધારણ કરી છે તેમણે ભૂલથી પણ રૂદ્રાક્ષની માળા ધારણ ન કરવી જોઈએ. નહીં તો તેનો ઉંધો પ્રભાવ તે વ્યક્તિને થઈ શકે છે. 

તુલસીની માળા ધારણ કરવાના નિયમ
માળાને વારંવાર ઉતારો નહીં 

જ્યોતિષ શાસ્ત્રમાં તુલસી સાથે જોડાયેલા ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. જો તમે એક વખત તુલસીની માળા ધારણ કરી લીધી છે તો તેને વારંવાર ભૂલથી પણ ન ઉતારો. આમ કરવાથી તમને સારા ફળની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. 

માળાનું શુદ્ધીકરણ જરૂરી 
તુલસીની માળા ધારણ કરતા પહેલા તેનું શુદ્ધીકરણ કરવું ખૂબ જ જરૂરી છે માળા ધારણ કરવા પહેલા તેને સારી રીતે ગંગાજળથી ધોઈ લો. જ્યારે માળા સુકાઈ જાય ત્યાર બાદ જ તેને ધારણ કરો. 

માળા પહેરીને શૌચાલય ન જાઓ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ગળામાં તુલસીની માળા ધારણ નથી કરી શકતા તો તેને જમણા હાથમાં ધારણ કરી શકાય છે. પરંતુ નિત્ય ક્રિયા વખતે તેને ઉતારી દો. સ્નાન કર્યા બાદ તેને ફરી વખત ગંગાજળથી ધોઈને જ પહેરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ