બ્રેકિંગ ન્યુઝ
મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ
રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર
વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ
દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન
રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કોંગ્રેસ OBCની અનામત મુસ્લિમને આપવા માંગે છે' જામનગરમાં PM મોદી
Last Updated: 06:40 PM, 2 May 2024
પ્રધાનમંત્રી મોદી આજે રાજ્યના 4 સ્થળે ચૂંટણી પ્રચાર કર્યો છે. તેમણે સૌથી પહેલાં આણંદ ખાતે બાદમાં સુરેન્દ્રનગર ત્યારપછી જૂનાગઢ સભાને સંબોધી છે. પ્રધાનમંત્રી મોદી જામનગરમાં ઉમેદવાર પૂનમ માડમના સમર્થમાં સભા ગજવી છે. જે બાદ જામનગરની સભા પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થશે.
ADVERTISEMENT
અત્રે જણાવીએ કે, જામનગરમાં સભાને સંબોધતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. જેમણે પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા.
ADVERTISEMENT
મોદીએ વિકાસની વાત કરતા કહ્યું કે, આ દેશની ઈકોનોમી 11 નંબર પર હતી તે હવે 5 નંબર છે. તેમણે વધુમાં કહ્યું કે, તમારા બધાના આશીર્વાદ મને પદ અને પ્રતિષ્ઠા માટે નહીં જોઈતા, 2014માં ઈતિહાસમાં નામ લખાઈ ચુક્યો છે. આશીર્વાદ એટલા માટે જોઈએ છે જે મનમાં સંકલ્પ છે તે ત્રીજા ટર્મમાં પૂરા કરવા છે. મારો સંકલ્પ છે કે, હિદુસ્તાનને પહેલી ત્રણ અર્થવ્યવસ્થામાં લાવવું. તમે વિચાર કરી શકો છો કે, જ્યારે ટોપ ત્રણ ભારત હશે ત્યારે વિશ્વમાં ભારતની છબી કેવી હશે.
તેમણે કહ્યું કે, હું જામનગની ધરતી પરથી દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું તેમજ કોંગ્રેસના ચટ્ટા પટ્ટાઓને કહેવા માંગું છું કે, જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી આ દેશને ધર્મના આધાર પર ભાગ પાડવા નહીં આપે, કોંગ્રેસ OBCની અનામત મુસ્લિમને આપવા માંગે છે. કોંગ્રેસ ધર્મના આધાર પર દલિત-આદિવાસીઓના હક્કને લઈ લેવા નહી આપું.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ મેં થોડા દિવસ અગાઉ દ્વારકાના દરિયામાં પૂજા અર્ચના અને દર્શન કર્યા તેનાથી પણ કોંગ્રેસને અડચણ છે. આ લોકો રામ મંદિરનો બહિષ્કાર કરે છે. દ્વારાકાને ખોટું બતાવે છે. તેમજ શિવ અને રામના ઝગડાની વાતો કરે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસથી સાવધાન થઈ જવાની જરૂર છે.
વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી
તમને જણાવી દઇએ આણંદથી મિતેશ પટેલ ભાજપે રિપીટ કર્યા છે.અહીં કોંગ્રેસથી અમિત ચાવડા તેમની સામે મેદાને છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે અહીં કોંગ્રેસના ઋત્વીક મકવાણા સામે તેમનો મુકાબલો છે. અહીં તળપદા અને ચુવાળિયા કોળી સમાજ વચ્ચે મતભેદ છે. તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ભાજપે ફરી ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. અહીં તેમનો મુકાબલો કોંગ્રેસના હીરા જોટવા સામે છે. તો જામનગરમાં ભાજપે પૂનમ માડમને રિપીટ કર્યા છે. પૂનમ માડમનો મુકાબલો કોંગ્રેસના જે.પી.મારવિયા સામે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT