બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:27 PM, 15 March 2023
ADVERTISEMENT
IPL 2023 માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 10 ટીમોની ટુર્નામેન્ટ લગભગ બે મહિના સુધી ચાલશે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ કેટલાક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી આ વખતે આઈપીએલને કલંકિત કરી શકે છે. જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. આ ભારતીય ખેલાડીઓ સિવાય ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને કાયલ જેમ્સન જેવા ખેલાડીઓ પણ ઈજાના કારણે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર, આરસીબીના ઝડપી બોલર જોશ હેઝલવુડ, દિલ્હી કેપિટલ્સનો સરફરાઝ ખાન અને એનરિચ નોર્ટજે પણ ઈજાના કારણે કેટલીક મેચો માટે બહાર થઈ શકે છે, પરંતુ આ ખેલાડીઓને આખી ટુર્નામેન્ટ માટે બહાર કરવામાં આવ્યા નથી. અહીં અમે એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેઓ આખી IPL 2023માંથી બહાર રહી શકે છે.
ADVERTISEMENT
જસપ્રિત બુમરાહ
મુંબઈ ઈન્ડિયન્સનો ઝડપી બોલર બુમરાહ આ સિઝનમાં તેની આઈપીએલ ટીમ માટે કોઈ મેચ રમી શકશે નહીં. તે લાંબા સમયથી પીઠની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. તે 2022ના એશિયા કપ બાદ ભારત તરફથી રમ્યો નથી. તેની પીઠની ઈજા નિયમિત સમયાંતરે ઠીક થઈ રહી છે. આ કારણે તે ન્યુઝીલેન્ડ જઈને સર્જરી કરાવી છે. હવે તે IPL 2023માંથી સંપૂર્ણપણે બહાર છે.

ADVERTISEMENT
રિષભ પંત
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત પણ આ સિઝનમાં તેની ટીમ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તે ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ ખતરનાક અકસ્માતમાં તેનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. આ અકસ્માત બાદ પંતે અનેક સર્જરી કરાવી છે. તે હજુ પણ તેની ઈજામાંથી બહાર નિકળી શક્યો નથી. તેને ક્રિકેટના મેદાનમાં વાપસી કરવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે.

ADVERTISEMENT
રિચર્ડસન
જસપ્રીત બુમરાહના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રિચર્ડસનને સામેલ કરવાની ચર્ચા હતી, પરંતુ તે પણ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. રિચર્ડસનને હેમસ્ટ્રિંગની સમસ્યા હતી અને તેની સર્જરી કરવી પડી હતી. આ સર્જરીના કારણે તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. IPL બાદ એશિઝ સિરીઝમાં રમવું તેના માટે મુશ્કેલ છે.
કાયલ જેમિસન
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસન પણ IPL 2023નો ભાગ નહીં હોય. આ યુવા ફાસ્ટ બોલર પણ સર્જરીના કારણે મેદાનની બહાર છે. આ વર્ષે તે ચેન્નાઈની ટીમનો ભાગ હતો, પરંતુ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. જેમસન કેટલાક મહિનાઓ સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે.
પ્રસિદ્ધ કૃષ્ણા
IPL 2022માં રાજસ્થાનની ટીમને ફાઇનલમાં પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રસિદ્ધ કૃષ્ણા પણ આ વર્ષે તેની ટીમ માટે નહીં રમે. ક્રિષ્નાને ઈજાના કારણે સર્જરી પણ કરાવવી પડી છે અને તે પણ મહિનાઓથી બહાર છે. તેને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું અને ઈજાને કારણે તેને સર્જરી કરાવવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન પેટ કમિન્સ કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો હતો, પરંતુ તેણે વ્યસ્ત કાર્યક્રમને કારણે આઈપીએલમાંથી ખસી ગયો હતો. કમિન્સ આ ટૂર્નામેન્ટમાં જોવા નહીં મળે. જો કે, છેલ્લી સિઝન તે ખાસ કરી શક્યો ન હતો અને કોલકાતા માટે ખૂબ જ મોંઘી સાબિત થયો હતો. કમિન્સની માતાનું અવસાન થયું છે અને તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ વનડે શ્રેણી પણ ગુમાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.