બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / report said that government may extend social benefits under pmgky scheme to marc

આનંદો / મોદી સરકારની આ ખાસ સ્કીમમાં હવે માર્ચ સુધી ફ્રીમાં મળી શકે છે અનાજ અને રોકડ રકમ

Bhushita

Last Updated: 09:56 AM, 27 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ મોદી સરકાર ત્રીજું રાહત પેકેજ લાવવાની તૈયારીમાં છે ત્યારે મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)નો ફાયદો આવનારા વર્ષે માર્ચ સુધી વધારી શકાય છે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા માટે આ યોજનાનો સમય વધારવાનો પ્લાન કરી રહી છે. જૂન સુધી ચાલનારી આ સ્કીમને સરકારે નવેમ્બર સુધી વધારી હતી. આ ખાસ સ્કીમમાં સરકાર હવે માર્ચ સુધી ફ્રીમાં અનાજ અને રોકડ રકમ આપવાનું વિચારી રહી છે.

  • મોદી સરકારની આ સ્કીમમાં મળશે રાહત
  • મોદી સરકાર સ્કીમને માર્ચ સુધી વધારી શકે છે
  • ફ્રીમાં અનાજ અને રોકડ મળવાની શક્યતા

 
માર્ચ સુધી વધી શકે છે યોજનાનો લાભ

દેશની ગરીબ જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે સરકારે PMGKY યોજનાની જાહેરાત માર્ચમાં કરી હતી. પહેલા આ યોજના જૂન સુધી લાગૂ કરાઈ હતી. ત્યારબાદ તેને નવેમ્બર 2020 સુધી લંબાવાઈ હતી અ્ને ફરી તેને માર્ચ સુધી વધારવામાં આવે તેવી શક્યતા છે. 

શું હોઈ શકે છે રાહત પેકેજ 3.0માં

મળતી માહિતી અનુસાર આ યોજનામાં સરકાર કેશની સાથે અનાજની સમય મર્યાદા પણ વધારી શકે છે. એક અધિકારીએ કહ્યું કે સામાજિક સુરક્ષા આપનારા ઉપાયો પર ફોકસ કરાયું છે. 

PMGKYમાં કેશ ટ્રાન્સફર સ્કીમને કરી શકાશે સામેલ

ત્રીજા પ્રોત્સાહન પેકેજમાં સરકાર 20 કરોડ જનધન ખાતા અને 3 કરોડ ગરીબ સિનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગને કેશ ટ્રાન્સફર સ્કીમને પણ સામેલ કરાશે. આ કેશ ટ્રાન્સફર સ્કીમ પણ PMGKYનો ભાગ છે. 

PMGKYમાં મળે છે આ લાભ

PMGKYના આધારે એક વ્યક્તિને 1 મહિનામાં 5 કિલો ઘઉં કે ચોખા ફ્રીમાં મળશે, સરકારની આ યોજનાનો ફાયદો દેશના 81 કરોડ ગરીબ લોકોને મળશે. 
આ સિવાય 19.4 કરોડ હાઉસ હોલ્ડરને દર મહિને 1 કિલો ચણા ફ્રી મળશે.
આ અનાજ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના આધારે અપાશે. 

જાણો શું છે PMGKY 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના મહામારીને રોકવા લોકડાઉનમાં લોકોને બચાવવા PMGKYની જાહેરાત કરી. કુલ 1.70 લાખ કરોડ રૂપિયાના પેકેજના આધારે સરકારે ગરીબોને ફ્રીમાં રાશન, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો  તથા ખેડૂતોને રોકડ સહાયની જાહેરાત કરી. તેમાં પીએમ કિસાન સ્કીમના આધારે 8 કરોડ ખેડૂતોના ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર કરાઈ. 

શા માટે આગળ વધી શકે છે PMGKY ની તારીખ

મહામારીમાં કેન્દ્ર સરકારે દેશની જનતાને વાયદો કર્યો કે અનાજની ખામીના કારણે 5 મહિનામાં કોઈ પરિવાર ભૂથ્યો ન રહે તેનું ધ્યાન રખાશે, માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ સ્કીમની તારીખને વધારે આગળ વધારી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Government March 2021 pmgky scheme પેકેજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માર્ચ રાહત સ્કીમ pmgky
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ