ભારત અને પાકિસ્તાનની વચ્ચે રવિવારે દુબઈ સ્ટેડિયમમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી. જો કે આ તમામની વિરુદ્ધ રવિન્દ્ર જાડેજા અને સંજય માંજરેકરની ચર્ચા હાલમાં થઈ રહી છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે રોમાંચક મેચમાં ભારતનો વિજય
આ તમામની વચ્ચે રવિન્દ્ર જાડેજા અને સંજય માંજરેકરની વાતચીત ચર્ચામાં આવી
જાડેજા અને માંજરેકર વચ્ચે અણબનાવ અગાઉ બનેલા
ભારત અને પાકિસ્તાનની વચ્ચે રવિવારે દુબઈ સ્ટેડિયમમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી. અંતિમ ઓવર સુધી ચાલેલી આ મેચમાં ટીમ ઈંડિયાની પાંચ વિકેટે જીત થઈ હતી. હાર્દિક પંડ્યા ટીમનો સ્ટાર બનીને ઉભર્યા પણ ઓલરાઉંડર રવીન્દ્ર જાડેજા પણ જરાંયે કમ નથી. તેણે એવા સમયે જ્યારે ભારતને ખાસ જરૂર હતી, ત્યારે તેણે 35 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી.
આ ઈનિંગ્સથી અલગ રવિન્દ્ર જાડેજા અન્ય એક વાતના કારણે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે મેચ ખતમ થયા બાદ પૂર્વ ક્રિકેટર અને કમેંટેટર સંજય માંજરેકરે તેનું ઈન્ટરવ્યૂ લીધું. સંજય માંજરેકર અને રવિન્દ્ર જાડેજાનો પોતાનો એક ઈતિહાસ રહ્યો છે. ત્યારે આવા સમયે આ સ્પેશિયલ મોકો હતો.
Sanjay Manjrekar : You are ok to talk with me, right ?
ઈંટરવ્યૂ પહેલા સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાનું પૂછ્યું કે, તેની સાથે વાત કરવામાં કોઈ વાંધો તો નથી ને ? જેના પર રવિન્દ્ર જાડેજા હસવા લાગ્યા અને બોલ્યા કે નહીં તેને કોઈ વાંધો નથી. બાદમાં તેણે વાત પણ કરી. બંનેના ઈન્ટરવ્યૂનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
શું છે સંજય માંજરેકર અને રવિન્દ્ર જાડેજાનો વિવાદ
બંને વચ્ચેનો અણબનાવ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. 2019ના વર્લ્ડ કપ દરમિયાન સંજય માંજરેકરે એક શોમાં રવિન્દ્ર જાડેજાને બિટ્સ એન્ડ પીસીસીવાળો ક્રિકેટર ગણાવ્યો હતો. જે બાદ રવિન્દ્ર જાડેજાએ પણ વળતો જવાબ આપ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ ત્યારે જવાબ આપ્યો હતો કે, તે ગમે તેવો હોય, તેનાથી વધારે મેચ રમી રહ્યો છે. સતત શિખીને આગળ વધી રહ્યો છું. જો કોઈ ક્રિકેટર કંઈ મેળવ્યું છે તો તેનું સન્માન કરવાનું શિખવું જોઈએ. એટલું જ નહીં થોડા સમય પછી રવિન્દ્ર જાડેજાએ ફિફ્ટી મારી હતી, ત્યારે સંજય માંજરેકર ખૂબ ટ્રોલ થયા હતા.