ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરથી યોજનારા ટી 20 વર્લ્ડ કપ માટે આ અઠવાડીયે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. આ અગાઉ ટીમ ઈંડિયા માટે એક માઠા સમાચાર આવ્યા છે જ્યારે સામે એક ગુડ ન્યૂઝ પણ આવ્યા છે.
સારી બાબત એ છે કે, ઈજાગ્રસ્ત જસપ્રિત બૂમરાહ અને હર્ષલ પટેલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. તેઓ આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં શામેલ થઈ શકે છે. તો વળી ટીમ માટે એક માઠા સમાચાર એ છે કે, ઈજાગ્રસ્ત ઓલરાઉંડર રવીન્દ્ર જાડેજા આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.
ADVERTISEMENT
એક રિપોર્ટમાં આ પ્રકારની જાણકારી સામે આવી છે. તેમાં કહેવાયુ છે કે, જાડેજાના બંને ઘુંટણમાં ઈજા થયેલી છે, જેનું હવે સફળ ઓપરેશન થયું છે. આ સર્જરીના કારણે જ જાડેજા ટી 20 વર્લ્ડ કપ સુધી ફિટ થવાની સંભાવના ખૂબ જ નહીંવત છે. તેથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ADVERTISEMENT
જાડેજાએ ખુદ સર્જરીની જાણકારી આપી હતી
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, જાડેજાએ થોડા દિવસ પહેલા ઈંસ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી હતી. સાથે જ સર્જરીની જાણકારી પણ આપી હતી. તે ફટાફટ મેદાનમાં પાછા આવવાની કોશિશ કરશે.
જાડેજાએ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, સર્જરી સફળ રહી, ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો, જેમનો આભાર. તેમાં બીસીસીઆઈ, મારા ટીમમેટ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડોક્ટર અને ફેન્સ સામે લે છે. બને તેટલું ઝડપી હું ક્રિકેટ ફીલ્ડમાં પાછો આવવાની કોશિશ કરી. શુભકામનાઓ માટે આપ સૌનો આભાર.
સંકળાયેલા મુદ્દાઓ