બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / raksha bandhan 2022 august 11 or 12 know correct date shubh muhurat

ધર્મ / 11 કે 12 ઓગસ્ટ, ક્યારે છે રક્ષાબંધનનો તહેવાર? જાણી લેજો ફક્ત આટલા કલાકનું છે શુભ મુહૂર્ત

Published By: Arohi

Last Updated: 02:59 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2022 માં રક્ષાબંધન કયા દિવસે ઉજવવામાં આવશે તે અંગે બે મત છે. ચાલો જાણીએ ભાઈને રાખડી બાંધવા માટે કયો સમય સૌથી વધુ શુભ રહેશે.

  • 11 કે 12 કઈ તારીખે છે રક્ષાબંધન? 
  • જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 
  • શ્રાવણ મહિનાની પૂનમે આવે છે રક્ષાબંધન

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમા તિથિની શરૂઆત અને અંતના સમયને કારણે, રક્ષાબંધન 11 ઓગસ્ટ 2022 કે 12 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવી તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે. 

હકીકતે 11મી ઓગસ્ટની તારીખથી પૂર્ણિમાનો પ્રારંભ થશે, પરંતુ આ દરમિયાન ખૂબ જ અશુભ માનવામાં આવતો ભદ્રાનો સમયગાળો રહેશે. આ કારણથી આ દિવસે રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી.

ભદ્રા કાળમાં શરૂ થશે પૂર્ણિમા તિથિ 
11મી ઓગસ્ટ 2022ના રોજ ગુરુવારે સવારે 10:38 વાગ્યાથી પૂર્ણિમાનો પ્રારંભ થશે અને બીજા દિવસે 12મી ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. પરંતુ પૂર્ણિમા તિથિ સાથે ભદ્રાનો સમયગાળો પણ શરૂ થશે અને તે 11 ઓગસ્ટની રાત્રે 08:51 મિનિટ સુધી રહેશે. આવી સ્થિતિમાં જે બહેનો 11મી ઓગસ્ટે રાત્રે 08:51 વાગ્યા પછી રાખડી બાંધવા માગે છે, તેઓ રાખડી બાંધી શકશે. 

આ તારીખે બાંધો રાખડી
ત્યાં જ ઘણા લોકો આ કારણોસર 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવી રહ્યા છે. 12મી ઓગસ્ટના રોજ સવારે 05:52 કલાકે સૂર્યોદય થવાની સાથે જ રક્ષાબંધનનો શુભ સમય શરૂ થશે અને તે લગભગ 3 કલાક સુધી ચાલશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિ અને શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને 12મી ઓગસ્ટની સવારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે તો સારું રહેશે.

12 ઓગસ્ટને શુક્રવારે ધાતા અને સૌભાગ્ય યોગ પણ બની રહ્યો છે. તેથી આવા શુભ યોગમાં ઉજવાતા ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર બંનેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય લઈને આવે છે.

આ કારણે ભદ્ર કાળમાં ન બાંધી રાખડી 
ભદ્ર કાળમાં રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આટલું જ નહીં ભદ્રા કાળમાં કોઈપણ શુભ કાર્ય ક્યારેય ન કરવું જોઈએ. આમ કરવાથી કરેલું કામ પણ બગડે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ભદ્રકાળમાં લંકાપતિ રાવણની બહેન દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને બાદમાં તેનો સર્વનાથ થઈ ગયો હતો. તેથી ભદ્રા કાળમાં રાખડી બાંધવાનું ટાળવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

raksha bandhan 2022 shubh muhurat  રક્ષાબંધન શુભ મૂહૂર્ત Raksha Bandhan 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ