બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ મનપામાં સરકારી બાબુઓની લાલિયાવાડી! ખુરશીઓ ખાલી, લાઈટ-પંખા ચાલુ, જનતાના પૈસાનો ધુમાડો
Last Updated: 01:52 PM, 4 August 2026
રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં વીજળીની બચત થાય અને બિનજરૂરી વીજ વપરાશ અટકે તે માટે સમયાંતરે કર્મચારીઓ અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. છતાં રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં સામે આવેલા દૃશ્યોએ આ સૂચનાઓના અમલ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. રિયાલિટી ચેક દરમિયાન ઓફિસોમાં કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં લાઈટ અને પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે સરકારી કચેરીઓમાં વીજળીના ઉપયોગને લઈને ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT

બપોરના સમયે કરવામાં આવેલા રિયાલિટી ચેક દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના ટીપી વિભાગ, ઓડિટ વિભાગ સહિતના અનેક વિભાગોમાં કર્મચારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી હતી. જોકે કર્મચારીઓ હાજર ન હોવા છતાં ઓફિસોમાં લાઈટ અને પંખા સતત ચાલુ રાખવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઓફિસમાં કોઈ હાજર ન હોય ત્યારે વીજ ઉપકરણો બંધ રાખવાના નિયમો હોવા છતાં તેનું પાલન થતું ન હોવાનું દૃશ્યોમાં જોવા મળ્યું.
ADVERTISEMENT
રિયાલિટી ચેક દરમિયાન કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન મોબાઇલ ફોનમાં વ્યસ્ત હોવાનું પણ કેમેરામાં કેદ થયું હતું. કેમેરાની હાજરીની જાણ થતાં જ કેટલાક કર્મચારીઓ ફરી પોતાના કામમાં લાગી ગયા હતા. આ દૃશ્યો બાદ કર્મચારીઓની કામગીરી અને ઓફિસમાં શિસ્તના પાલન અંગે પણ સવાલો ઊભા થયા છે. સરકારી કચેરીમાં ફરજ દરમિયાન કર્મચારીઓની કાર્યશૈલીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT

સરકાર એક તરફ વીજળી બચાવવા માટે અભિયાન ચલાવી રહી છે અને સરકારી કચેરીઓમાં બિનજરૂરી વીજ વપરાશ ટાળવા સૂચનાઓ આપી રહી છે. બીજી તરફ કેટલીક કચેરીઓમાં આ નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવી રહ્યું છે. ખાલી ઓફિસમાં લાઈટ અને પંખા ચાલુ રાખવાથી વીજળીનો બિનજરૂરી વપરાશ થાય છે, જેના કારણે સરકારી ખર્ચમાં પણ વધારો થાય છે. આ સ્થિતિ સરકારની ઊર્જા બચતની નીતિ સામે પણ પ્રશ્નો ઉભા કરે છે.
ADVERTISEMENT
સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે સામાન્ય નાગરિકોને વીજળી બચાવવા માટે જાગૃત કરવામાં આવે છે ત્યારે સરકારી કચેરીઓએ પણ તેનું પાલન કરવું જોઈએ. જો સરકારી કચેરીઓમાં જ નિયમોનું પાલન નહીં થાય તો લોકો સુધી યોગ્ય સંદેશ પહોંચાડવો મુશ્કેલ બની શકે છે. સરકારી તંત્ર દ્વારા સમયાંતરે વીજળી બચત અંગે સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ તેના અમલ પર અસરકારક દેખરેખ જરૂરી હોવાનું પણ લોકો માની રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદના ખાડારાજને લઈ લોકોએ VTV સમક્ષ ઠાલવ્યો બળાપો, ...એ લોકોને જ ખાડામાં નાખીએ
આ સમગ્ર ઘટનાએ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અને વીજળીના ઉપયોગ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. કર્મચારીઓની ગેરહાજરી દરમિયાન ઓફિસોમાં લાઈટ અને પંખા ચાલુ રહેવા, તેમજ ફરજ દરમિયાન કેટલાક કર્મચારીઓ મોબાઇલમાં વ્યસ્ત જોવા મળવાની ઘટના બાદ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. લોકોનું માનવું છે કે સરકારી કચેરીઓમાં જવાબદારી અને વીજળી બચતના નિયમોનો કડક અમલ થાય તો જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ પણ ઘટાડી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.