બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Prominent Chemist Among 3 Killed In Terror Attacks In One Hour In Kashmir

ટેરર એટેક / કાશ્મીરમાં આતંકીઓનો સીરિયલ એટેક, 2 કલાકમાં 3 નાગરિકોને ઠાર કર્યાં, મોટા બિઝનેસમેનની હત્યા

Hiralal

Last Updated: 10:18 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ બેફામ બન્યા છે. મંગળવારે ફક્ત 2 કલાકમાં 3 નાગરિકોની હત્યા કરી નાખતા મોટો ડર પેદા થયો છે.

  • જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ બેફામ બન્યા
  • કલાકમાં 3 નાગરિકોની હત્યા કરી
  • જમ્મુના કારોબારી માખનલાલ બિંદરુની ગોળી મારીની હત્યા કરી
  • આતંકીઓએ ફેરિયાને પણ ન છોડ્યો, ગોળીથી ઉડાવી મૂક્યો 

 જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી રાજધાની શ્રીનગરમાં નાપાક કૃત્યો કર્યા છે. આતંકવાદીઓએ બે કલાકની અંદર ૩ નાગરિકોની હત્યા કરી હતી. આતંકવાદીઓએ સૌ પ્રથમ શ્રીનગરના ઇકબાલ પાર્ક નજીક બિન્રુ મેડિકેટના માલિક મખન લાલની ગોળી મારીને હત્યા કરી હતી.

બિઝનેસમેન માખન લાલ બિન્દ્રુની ગોળી મારીને હત્યા કરી 
આતંકવાદીઓએ ઇકબાલ પાર્ક નજીક મખન લાલ બિન્દ્રુ પર ગોળીબાર કર્યો હતો. તેમને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  આ ઘટના બાદ આ વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી. તથા આતંકવાદીઓને પકડવા માટેના પ્રયાસો ઝડપી બનાવાયા હતા. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિન્દ્રુની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાની નિંદા કરી હતી.

પાણી પૂરી વેચનાર ભૈયાની  ગોળી મારીને હત્યા કરી 

બિઝનેસમેન માખન લાલ બિન્દ્રુની હત્યા બાદ આતંકીઓએ પાણીપુરી વેચનારની પણ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પાણી પુરી વેચનાર વ્યક્તિની ઓળખ બિહારના ભાગલપુરના રહેવાશી વિરેન્દ્ર પાસવાન તરીકે થઈ છે. 

SUMO ના પ્રમુખ નાયદખાઈ મોહમ્મદ શફીની પણ ગોળી મારીને હત્યા

બાંદીપોરાના હાજિન વિસ્તારમાં આતંકીઓએ SUMO ના પ્રમુખ નાયદખાઈ મોહમ્મદ શફીની પણ ગોળી મારીને હત્યા કરી નાખી હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ તેમણે રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ