PM કિસાન સન્માન નિધી યોજનાને લઈને સરકારે મહત્વની કાર્યવાહી શરુ કરી છે. જો બોગસ ખેડુત બનીને લાભ લીધો હશે તો પૈસા પાછા આપવા પડશે. કેન્દ્ર સરકાર એક- એક રૂપિયાની વસૂલાત કરશે.
PM કિસાન સન્માન નિધી યોજનાના પૈસા પાછા આપવા પડશે
બોગસ ખેડુતોને લઇ કેન્દ્ર સરકાર બનાવી રહી છે યાદી
આ રીતે સરકારે દેશના તમામ રાજ્યોમાં બોગસ ખેડુતો અંગે તપાસ હાથ ધરી
કેન્દ્ર સરકારે બોગસ ખેડુતોને લઇ યાદી બનાવી રહી છે. જેમાં PMOમાં બોગસ ખેડુતોને લઇ વાંરવાર રજુઆત આવી રહી હતી. જેને પગલે આ એક્શન લેવામાં આવ્યું છે. જેમને ખેતી સાથે કોઇ લેવા દેવા નથી તેવા લોકોની યાદી તૈયાર થઇ રહી છે.
જો આવા લોકોના ખાતા પૈસા આવ્યા હશે તો તરત પાછા લેવામાં આવશે. અત્યાર સુધી કેન્દ્ર સરાકરે 61 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓ માંથી 5.38 લાખ ખેડુતો બોગસ મળ્યા છે. આ રીતે સરકારે દેશના તમામ રાજ્યોમાં બોગસ ખેડુતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
જે લોકો ખેતી સિવાય અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આ યોજનાનો લાભ નહીં મળે અને જો તેમણે લીધો હશે તો તેમની પાસેથી એક એક રુપિયો વસૂલવામાં આવશે.