બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ભારત / pm narendra modi telephonic conversation with labours who have successfulley resued from tunnel
Arohi
Last Updated: 09:31 AM, 29 November 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. તેના પહેલા પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ માટે જાણકારી લીધી.
વ્યવસ્થાઓ વિશે પણ મેળવી જાણકારી
પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી પાસેથી જાણ્યું કે ટનલમાંથી કાઢ્યા બાદ શ્રમિકોના સ્વાસ્થ્ય દેખરેખ, ઘર સુધી મુકવા અને પરિવારના લોકો માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે બધા શ્રમિતોને ટનલમાંથી નિકળ્યા બાદ સીધા ચિન્યાલીસોડ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની જરૂરી સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે. સાથે જ શ્રમિકોના પરિવારોને પણ હાલ ચિન્યાલીસોડ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સુવિધા અનુસાર રાજ્ય સરકાર તેમને ઘરે મુકવા આવવાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.
PM Modi speaks to workers rescued from Silkyara tunnel over phone
— ANI Digital (@ani_digital) November 28, 2023
Read @ANI Story | https://t.co/OIZhWm1uup#PMModi #UttarakhandTunnelRescue #UttarkashiRescue #SilkyaraTunnel pic.twitter.com/ozxLs0xIMX
ભાવુક કરી દે તેવી ક્ષણ...
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના સારા માર્ગદર્શનના કારણે આ રેસ્ક્યૂ અભિયાન સફળતાપૂર્વક સફળ થઈ શક્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની તમામ એજન્સિઓ અને રાજ્ય સરકારના સમન્વયથી અમે 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યા છે. ત્યાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા બધા 41 શ્રમિકોના સકુશલ બહાર આવવા અને રેસ્ક્યૂ ઓપરેશનની સફળતાને બધાને ભાવુક કરનાર ક્ષણ જણાવતા આ બચાવ અભિયાન સાથે જોડાયેલા લોકોની હિમ્મતને સલામ કર્યું છે.
Prime Minister Narendra Modi had a telephonic conversation with the workers who have been successfully rescued from the Silkyara tunnel. pic.twitter.com/TEBv8xCBPO
— ANI (@ANI) November 28, 2023
રેસ્ક્યૂ ટીમના કર્યા વખાણ
પ્રધાનમંત્રી મોદીએ રેસ્ક્યૂ ટીમના વખાણ કરતા કહ્યું કે તેમની બહાદુરી અને સંકલ્પ- શક્તિએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં શામેલ બધાએ માનવતા અને ટીમ વર્કની એક અદ્ભૂત મિસાલ કાયમ કરી છે.
Uttarkashi (Uttarakhand) tunnel rescue | CM Pushkar Singh Dhami met the workers who were rescued from the Silkyara tunnel.
— ANI (@ANI) November 28, 2023
41 workers were trapped inside the Silkyara tunnel which collapsed on November 12. pic.twitter.com/I5wmOdaAkH
પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી રહ્યું, "ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓને રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે સાથી ફસાયા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારૂ સાહસ અને ધૈર્ય બધાને પ્રેરિત કરનાર છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime