સંદેશ / મોટી જાહેરાત, આજે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન: PM મોદી

PM Modi to address nation coronavirus india

દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે ફરી એક વખત દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ 8 વાગ્યે પોતાનું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 3 અઠવાડિયા સુધી એટલે કે આજે મોડી રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી દેશમાં લૉકડાઉન રહેશે તેવી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ અગાઉ 19 માર્ચે પ્રધાનમંત્રીએ દેશને સંબોધિત કર્યો હતો અને જનતા કર્ફ્યૂનું એલાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ વાતની માહિતી ટ્વિટર પર આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ