બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:40 PM, 9 June 2024
પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યાં છે. રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પીએમ મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. સાંજના 7.15 કલાકે મોદી શપથ લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલી વાર છે કે કોઈ પીએમે સતત ત્રીજી વાર શપથ લીધાં છે. ઈન્દીરા ગાંધી પણ બે વાર પીએમ બન્યાં હતા પરંતુ તે પણ સતત નહીં. સતત ત્રીજી વાર પીએમ બનવાનું બહુમાન એકમાત્ર નરેન્દ્ર મોદીને મળ્યું છે.
ADVERTISEMENT
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024
સતત ત્રીજી વાર પીએમ બનનાર પહેલા નેતા
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદી સાથે એક મોટો ઈતિહાસ પણ જોડાયો છે. મોદી સ્વતંત્ર ભારતના પહેલા એવા નેતા છે જેમને સતત ત્રીજી વાર પીએમ બનવાનું યશભાગ્ય સાંપડ્યું છે.
#WATCH | Narendra Modi takes oath for the third consecutive term as the Prime Minister pic.twitter.com/LA1z6QF7iX
— ANI (@ANI) June 9, 2024
ADVERTISEMENT
ગઠબંધન સરકારની આગેવાની પીએમ મોદીને શિરે
પહેલી બે વારની ઉલટ, આ વખતે પીએમ મોદી ગઠબંધન સરકારની આગેવાની કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 230 બેઠકો મળી છે, બહુમતીનો આંકડો 272 છે આ રીતે ભાજપને 32 બેઠકો ખૂટી છે એટલે એનડીએના સાથી પક્ષોના ટેકાથી સરકાર બનાવી છે.
ADVERTISEMENT
#WATCH | Adani group chairman Gautam Adani & actor Akshay Kumar at the Forecourt of Rashtrapati Bhavan for the oath ceremony. pic.twitter.com/lObEBTsqvt
— ANI (@ANI) June 9, 2024
શપથ ગ્રહણ પહેલા રાજઘાટની મુલાકાતે
ADVERTISEMENT
શપથ ગ્રહણ પહેલા પીએમ મોદી રાજઘાટની મુલાકાતે ગયાં હતા અને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાસૂમન અર્પણ કર્યાં હતા.
પહેલા રાષ્ટ્રપતિએ મોદીએ પીએમ તરીકે નિયુક્ત કર્યાં
ADVERTISEMENT
ભાજપના વડા જેપી નડ્ડાએ ભાજપના સંસદીય દળના નેતા તરીકે મોદીની ચૂંટણીની પુષ્ટિ કરતો પત્ર રજૂ કર્યા પછી તરત જ રાષ્ટ્રપતિ મુર્મુએ શુક્રવારે મોદીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. ભાજપના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ અને રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા તેલુગુ દેશમ પાર્ટીના એન ચંદ્રબાબુ નાયડુ, જેડી(યુ)ના નીતીશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે સહિતના સહયોગીઓ સાથે સરકારની રચનાને લઈને મંત્રણા ચલાવી રહ્યાં છે.
વધુ વાંચો : મોદી સરકાર 3.0 : ગુજરાતમાંથી અમિત શાહ અને એસ. જયશંકર બનશે મંત્રી
શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ હાજર રહ્યું
પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં SAARC દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સહિત 8000થી વધુ લોકો હાજર રહ્યાં હતા. તમામ નેશનલ ચેનલો અને સોશિયલ મીડિયામાં આ ઐતિહાસિક પ્રસંગનું લાઈવ પ્રસારણ કરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.