બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / PM Modi reacted on the issue of no-confidence motion today on Thursday
Kishor
Last Updated: 09:48 PM, 10 August 2023
कांग्रेस पार्टी और इनके दोस्तों का इतिहास रहा है कि इन्होंने भारत के सामर्थ्य और यहां के लोगों पर कभी भरोसा नहीं किया। इन लोगों की फितरत में ही अविश्वास है। pic.twitter.com/KI1tOkZBu8
— Narendra Modi (@narendramodi) August 10, 2023
સંસદના સત્ર દરમિયાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 2024 ની લોકસભાની ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમતી સાથે જીતીશું. તેઓએ કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવને ભગવાનના આશીર્વાદ માનીએ છીએ. 2018ના અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરતા મોદીએ કહ્યું હતું કે જે તે સમયે અવિશ્વાસ પ્રસ્તાવ સરકાર માટે નહીં પરંતુ વિપક્ષ માટે ફ્લોર ટેસ્ટ હતો અને તે 2019 માં તેઓ ચૂંટણી હારી ગયા. આગામી ચૂંટણીમાં ભાજપ હવે તમામ રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Even as we discussed the No-Confidence Motion, there were important Bills pending for discussion for which the Opposition showed no interest. This is saddening. pic.twitter.com/4B9d2lA04y
— Narendra Modi (@narendramodi) August 10, 2023
વડાપ્રધાને વિપક્ષને સત્તા ભૂખ્યા ગણ્યા
વિપક્ષને સત્તા ભૂખ્યા ગણાવી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વિપક્ષને માટે પાર્ટી દેશ કરતા મોટી છે તેને ગરીબોની ભૂખની ચિંતા નથી પરંતુ તેની સત્તાની ચિંતા છે. વધુમાં વિપક્ષોએ દેશને માત્ર નિરાશા જ આપી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વિકાસ તરફ આગળ વધવાની સલાહ આપતા મોદીએ કહ્યું હતું કે યુવાનોમાં સપના સાકાર કરવાની શક્તિ છે અને હવે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર તેની અપેક્ષાને નવી તક આપી રહી છે. તેઓએ જણાવ્યું કે અમે વિશ્વમાં ભારતની ખરડાઈ ગયેલી પ્રતિષ્ઠાને સંભાળી અને તેને નવી ઊંચાઈ પર લઈ ગયા છીએ. પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જે દેશની પ્રતિષ્ઠા પર ડાઘ લગાડવા માંગે છે. જોકે દુનિયા ભારતને ઓળખી ગઈ છે અને ભારતના યોગદાનને વિશ્વનો વિશ્વાસ રોજ વધતો જાય છે.
વિપક્ષમાં અભિમાન અને અવિશ્વાસ ઘર કરી ગયા
અવિશ્વાસ પ્રસ્તાવ પર આકરું નિવેદન આપતા મોદીએ કહ્યું હતું કે વિપક્ષમાં અભિમાન અને અવિશ્વાસ ઘર કરી ગયા છે. જે લોકોનો વિશ્વાસ જોઈ શકતા નથી. ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદીએ વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A નામના ગઠબંધનને ઘમંડ ગણાવ્યું હતું. તેઓને જીવિત રહેવા માટે પણ એનડીએનો સહારો લેવો પડ્યો હોવાનું પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
आज देश का जो मंगल हो रहा है, चारों तरफ वाहवाही और जय-जयकार हो रही है, उसमें विपक्ष के काले टीके और काले कपड़े का भी बड़ा योगदान है! pic.twitter.com/8WB6oJOt0M
— Narendra Modi (@narendramodi) August 10, 2023
કોંગ્રેસને 400 સીટથી ઘટાડીને 40 પર લાવી રાખી દીધી
રાહુલ ગાંધી પર નિશાન સાંધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે લોકો પણ ભગવાન રામ જેવા જ છે અને તેથી જ કોંગ્રેસને 400 સીટથી ઘટાડીને 40 પર લાવી રાખી દીધી હતી. જનતાએ આ સરકારને બે વખતથી પૂર્ણ બહુમતી સાથે ચૂંટી હોવાથી વિપક્ષોના પેટમાં તેલ રેડાયું છે કે એક સામાન્ય પરિવારનો માણસ અહીં કઈ રીતે બેઠો છે. 2024 માં પણ દેશની જનતા વિપક્ષને ઊંઘવા નહીં દે તેઓ પણ વડાપ્રધાને દાવો કર્યો હતો.
મણિપુર હિંસા પર બોલ્યા વડાપ્રધાન
મણિપુર હિંસા પર વાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે મહિલાઓ વિરુદ્ધ ગંભીર ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકરણમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજા કરવામાં આવે તે મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં દેશ મણિપુરના લોકોની સાથે હોવાનું કહી વડાપ્રધાને જણાવ્યું હતું કે સાથે મળી અને પડકારોનો ઉકેલ લાવશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog