બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Parth
Last Updated: 04:21 PM, 31 December 2022
PM મોદીના માતાના નિધન બાદ તેઓ તાત્કાલિક દેશના કામમાં લાગી ગયા હતા, તેમણે ગાંધીનગર રાજભવનથી જ અનેક કામોમાં ભાગ લીધો છે ત્યારે ઘણા લોકોને સરદાર પટેલનો પ્રસંગ પણ યાદ આવી ગયો. હીરાબાના નિધન બાદ તેમના અને PM મોદીના અનેક સંસ્મરણો અને વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોકે PM મોદીના પુત્ર ધર્મ બાદ કર્તવ્ય પથ પરના તપને લઈને ચર્ચા થઈ રહી છે પણ PM મોદીએ વર્ષ 1989માં પણ પિતાના નિધન સમયે આવું જ કર્યું હતું.
સ્મશાનથી પરત આવ્યા બાદ તરત કામે લાગ્યા PM મોદી
હીરાબાનું સંઘર્ષ બાળપણથી જ સંઘર્ષમય રહ્યું, બાળકોને મોટા કરવા માટે તેમણે જે રીતે કપરી સ્થિતિમાં કામ કર્યા તે પણ PM મોદી અનેક વાર ઉલ્લેખ કરી ચૂક્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે હીરાબાએ જે છેલ્લો ગુરુમંત્ર આપ્યો હતો કે કામ કરો બુદ્ધિ અને જીવન જીવો શુદ્ધિથી. ગઇકાલે માતાની અંત્યેષ્ટિમાં PM મોદી ખૂબ શોકમાં ડૂબેલા દેખાયા અને સ્મશાનમાં ગુમસુમ ઊભા જાણે યાદોને યાદ કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું હતું પણ તેના કલાક બે કલાકની અંદર જ PM મોદી કામ પર પરત ફર્યા.
એક તરફ પુત્રધર્મ, બીજી તરફ દેશની જવાબદારી
PM મોદી જાણે છે કે જે ખભા પર માતાની અર્થી ઊંચકી એ જ ખભા પર દેશના લોકોની જવાબદારી પણ છે. PM મોદીએ રાજભવનથી જ બંગાળના કામોનું ઉદ્ઘાટન કર્યું અને તે બાદ બેઠકો પણ કરી. જોકે પ્રધાનમંત્રીએ 1989માં પણ આવું જ કઈક કર્યું હતું.
કર્તવ્યએ PM મોદીની પરીક્ષા 1989માં પણ કરી હતી
ભારતીય જનતા પાર્ટીના PM મોદીના જૂના સાથી દિલીપ ત્રિવેદીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે 1989માં એક બેઠક હતી જેમાં જાણવા મળ્યું કે નરેન્દ્ર મોદીના પિતાનું નિધન થયું છે, પણ બપોરના સમયે તેઓ બેઠકમાં આવી ગયા. તેમણે કહ્યું કે અંત્યેષ્ટિનો કાર્યક્રમ થઈ ગયો, આ બેઠક અગત્યની એટલે હું આવી ગયો કારણ કે આપણે તો આગળ કામ કરવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો