બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi inaugurated and launched 2100 crore works in Tapi district
Vishnu
Last Updated: 05:10 PM, 20 October 2022
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી તાપી જિલ્લાની મુલાકાતે છે. તાપીના ગુણસદા ખાતેથી પ્રધાનમંત્રી 2 હજાર 100 કરોડ કરતા વધુના રૂપિયાનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું હતું. ગુજરાત પાણી પુરવઠા વિભાગના 3 કામોનું ખાતમુહૂર્ત, નર્મદાનું 1 અને તાપી જિલ્લાના 3 કામોનું ખાતમુહૂર્ત, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 6 કામોનું ખાતમુહૂર્ત તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 5 કામોનું લોકાર્પણ કર્યું છે.
તાપીમાં PM મોદીનું સંબોધન
આદિવાસી મંત્રાલય બનાવવાનું કોઈ દિવસ કોંગ્રેસને ન સૂઝ્યું: PM મોદી
આદિવાસી સમાજ સદીઓથી દેશમાં છેપરંતુ દેશ આઝાદ થયો જ્યાં સુધી અટલજીની સરકાર ન બની ત્યાં સુધી આદિવાસીઓના કલ્યાણ માટે કોઈ મંત્રાલય જ ઊભું કરવામાં આવ્યું ન હતું. પહેલીવાર ભાજપની સરકાર બની ત્યારે દિલ્હીમાં તરત જ આદિવાસીઓ માટે પહેલું મંત્રાલય બન્યું, અને વિકાસ માટે અલગ બજેટની ફાળવણી કરી અને પછી આદિવસીઓ માટે ધ્યાન કેન્દ્રિત થયા. આ કામ કોંગ્રેસ વાળા પણ કરી શક્યા હોત પણ તેમણે ન સૂઝ્યું પણ ભાજપવાળા આવ્યા તો 20 વર્ષ પહેલા પહેલી વાર દેશમાં આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બન્યું, આજે આદિવાસી પગભર થઈ ગયો છે.
ગુજરાતનું બજેટ નહોતું એટલું મારા એક પ્રવાસમાં...: PM મોદીનું તાપીમાં મોટું નિવેદન#Tapi #BJP #PMModi #AdivasiSAMAJ pic.twitter.com/tbzFE3uVnz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 20, 2022
કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું કર્યું ખાતમુહૂર્ત-લોકાર્પણ
'વડાપ્રધાન દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે. દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું. સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે'.
આદિવાસી સમાજની પાઘડી પહેરું તો કોંગ્રેસ તેની મજાક ઉડાવે છે, મારો આદિવાસી હિસાબ ચૂકતે કરશે" PM મોદી
'આ દેશમાં પહેલાની સરકારો તમે જોઈ છે, એક બાજુ ભૂતકાળની કોંગ્રેસની સરકારો અને હવે અત્યારે એક બાજુ ભાજપની સરકારોનો ફર્ક જનતા જોઈ શકે છે, કોંગ્રેસને કોઈ દિવસ આદિવાસીની ચિંતા ન હતી. એમના મગજમાં ચૂંટણી જ ચમકારા મારતી હોય, અને ચૂંટણી પહેલા જુઠ્ઠા વાયદા કરી ભૂલી જવાનું, બીજી બાજુ ભાજપની સરકાર છે જેની સર્વાચ્ચ પ્રાથમિકતા છે કે આદિવાસી શક્તિશાળી બને સમર્થ બને એમનો વિસ્તાર વાજતે ગાજતે આગળ ધપે, એક બાજુ કોંગ્રેસે એવી સરકારો બનાવી, આદિવાસી પરંપરાની મજાક કરવામાં મજા આવે, ઠેકડી ઉડાવે મૈ ક્યારેક કોઈ આદિવાસીની પાઘડી પહેરી હોય, કે તેનું જાકીટ પહેર્યું હોય તો ભાષણો કરી કરી મજાક ઉડાવે. પણ મારે કોંગી નેતાઑને કહેવું છે કે તમે આદિવાસી સંસ્કૃતિની રાજકિય લાભ માટે જે મજાક ઉડાવી છે આ મારો આદિવાસી ભાઈ ક્યારેય ભૂલતો નથી. અને સમય આવે એટલે હિસાબ ચૂકતે કરીને રહેતો હોય છે'.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने तापी ज़िले के व्यारा विभिन्न विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया। pic.twitter.com/B50YzMqTp1
— ANI_HindiNews (@AHindinews) October 20, 2022
તાપી જિલ્લાને PM મોદીની મોટી ભેટ
તાપી તથા નર્મદા જિલ્લામાં ₹302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત થયું છે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું છે. જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ થયું છે. અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે .કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime