બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / pm modi g7 summit speech he said all countries must respect un charter territorial integrity
Last Updated: 12:15 AM, 22 May 2023
ADVERTISEMENT
PM Modi G7 Summit Speech:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશોની મુલાકાતના બીજા ચરણમાં આજે એટલે કે 21 મે રવિવારના રોજ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. પીએમ જાપાનથી અહીં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જી7 સમિટમાં ભાગ લીધો અને દુનિયાના અનેક નેતાની સાથે દ્વિપક્ષિય બેઠક કરી. તેમાં પહેલા પીએમ મોદીએ રવિવારે જાપાનના હિરોશિમા શહેરમાં આયોજીત જી7 સમિટ સત્રમાં કહ્યું કે, તે યુક્રેનમાં અત્યારના હાલાતને રાજનૈતિક કે અર્થવ્યવસ્થાનો નહીં પરંતુ માનવતા તથા માનવીય મૂલ્યોનો મુદ્દો માને છે.
Reached Papua New Guinea. I am thankful to PM James Marape for coming to the airport and welcoming me. This is a very special gesture which I will always remember. I look forward to boosting India’s ties with this great nation during my visit. pic.twitter.com/9pBzWQ6ANT
— Narendra Modi (@narendramodi) May 21, 2023
ADVERTISEMENT
તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા, સમ્પ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાના સન્માન માટે દરેક દેશોનું આહ્વાન કર્યુ. પીએમ મોદીએ સાથે જ યથાસ્થિતિ બદલાવના એકતરફી પ્રયત્નોના વિરુદ્ધ એક સાથે મળીને અવાજ ઉઠાવવાની પુરજોશમાં વકીલાત કરી અને કહ્યુ કે, દરેક દેશોનો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદો અને એક-બીજાની સંપ્રભુતા તથા ક્ષેત્રિય અંખડતાનું સન્માન કરવુ જોઇએ.
ADVERTISEMENT
રશિયા-યુક્રેન યુદ્ધ પર શું બોલ્યા પીએમ?
વડાપ્રધાને કહ્યું કે, સંવાદ અને કૂટનીતિ જ આ સંઘર્ષને ઉકેલવાનો એકમાત્ર રસ્તો છે. પીએમની આ ટિપ્પણીઓ યુક્રેન પર રશિયન હુમલા અને પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદની પૃષ્ઠભૂમિમાં આવી છે. પીએમએ તેમના સંબોધનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે શનિવારે યોજાયેલી વાટાઘાટોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે સંઘર્ષને ઉકેલવા માટે જે પણ શક્ય હશે તે કરશે.
Went to the Peace Memorial Museum in Hiroshima and the Hiroshima Peace Memorial Park this morning. pic.twitter.com/H3NlkcFxF0
— Narendra Modi (@narendramodi) May 21, 2023
ADVERTISEMENT
PMની ટિપ્પણી ઝેલેન્સકીએ G-7 સમૂહની બેઠકને સંબોધિત કર્યા પછી આવી. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વના દેશોને અપીલ કરી છે કે તેઓ રશિયન આક્રમણ સામે સુરક્ષાના પ્રયાસોમાં તેમના દેશનું સમર્થન કરે.
ADVERTISEMENT
"કૂટનીતિ જ એકમાત્ર રસ્તો"
પીએમએ કહ્યું કે, આજે અમે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સાંભળ્યા. હું ગઈ કાલે પણ તેમને મળ્યો હતો. હું વર્તમાન પરિસ્થિતિને રાજકારણ કે અર્થવ્યવસ્થાનો મુદ્દો ગણતો નથી. હું માનું છું કે તે માનવતાનો મુદ્દો છે, માનવીય મૂલ્યોનો મુદ્દો છે. અમે શરૂઆતથી જ કહ્યું છે કે સંવાદ અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો છે. આ સ્થિતિને ઉકેલવા માટે, ભારત તરફથી જે પણ થઈ શકે છે, અમે શક્ય તેટલા પ્રયાસ કરીશું.
ભગવાન બુદ્ધનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાને ભગવાન બુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત અને જાપાનમાં ભગવાન બુદ્ધનું હજારો વર્ષોથી અનુસરણ કરવામાં આવે છે અને આધુનિક યુગમાં એવી કોઈ સમસ્યા નથી, જેનો ઉકેલ આપણે બુદ્ધના ઉપદેશોમાં શોધી શકતા નથી. તેમણે કહ્યું કે ભારતનું હંમેશાથી એવું માનવું છે કે કોઈપણ તણાવ, કોઈપણ વિવાદનો શાંતિપૂર્ણ રીતે, વાતચીત દ્વારા ઉકેલ લાવવો જોઈએ અને જો કાયદામાંથી કોઈ ઉકેલ આવે તો તેને સ્વીકારવો જોઈએ.
ADVERTISEMENT
Here are highlights from the day’s proceedings at the Hiroshima G-7 Summit. pic.twitter.com/HZaAjzAFeD
— Narendra Modi (@narendramodi) May 20, 2023
"વિકાસશીલ દેશો પર પડે છે સૌથી વધુ પ્રભાવ"
પીએમએ કહ્યું કે, આ ભાવનાથી જ ભારતે બાંગ્લાદેશ સાથેના જમીન અને શિપિંગ સરહદ વિવાદનો ઉકેલ લાવ્યો છે. વધુમાં પીએમએ કહ્યું કે, વિકાસશીલ દેશો પાસે મર્યાદિત સંસાધનો છે અને તેઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે, આ દેશો ખોરાક, બળતણ અને ખાતરની કટોકટીની મહત્તમ અને સૌથી વધુ ગંભીર અસરો ભોગવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, PM મોદી તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદાના નિમંત્રણ બાદ G-7 સમિટના ત્રણ સત્રમાં ભાગ લેવા શુક્રવારે હિરોશિમા પહોંચ્યા હતા. G-7 દેશોમાં જાપાન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટાલી અને યુરોપિયન યુનિયન (EU)નો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT