બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / planting aparajita plant in the house will no shortage money happiness

Vastu Tips / ઘરની આ દિશામાં છોડ લગાવતાની સાથે જ માતા લક્ષ્મી કરશે અપાર ધનવર્ષા, પૈસાની તંગી પણ થશે દૂર

Manisha Jogi

Last Updated: 09:04 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં તુલસી, શમી, મની પ્લાન્ટ, અપરાજિતાનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. આ છોડ લગાવતા સમયે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

  • હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ
  • ઘરમાં કેટલાક છોડ લગાવવાને શુભ માનવામાં આવે છે
  • આ છોડ લગાવવાથી ઘરમાં આવે છે સુખ અને શાંતિ

હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. ઘર નિર્માણથી લઈને તમામ બાબતોમાં વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવાને શુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસી, શમી, મની પ્લાન્ટ, અપરાજિતાનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. આ છોડ લગાવતા સમયે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અપરાજિતાનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેમાં લક્ષ્મીનો વાસ હોય છે. આ છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ અને તેના શું ફાયદા છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવે છે. 

કઈ દિશામાં અપરાજિતા છોડ લગાવવો
અપરાજિતા છોડમાં લક્ષ્મીનો વાસ હોય છે. આ છોડ ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ઈશાન ખૂણામાં ભગવાન ગણેશ, માઁ લક્ષ્મી અને ધનના દેવતા કુબેર નિવાસ કરે છે, જેથી આ દિશામાં છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર પણ અપરાજિતા છોડ લગાવવો જોઈએ, જેથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેર પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર ગુરુવાર અને શુક્રવારે અપરાજિતા છોડ લગાવવો જોઈએ. 

ઘરમાં અપરાજિતા છોડ લગાવવાનું મહત્ત્વ-
અપરાજિતા છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ છોડ લગાવવો ખૂબ જ ફાયદાકારક છે. જાણો ઘરમાં અપરાજિતા છોડ લગાવવાનું મહત્ત્વ. 

  • તંગી દૂર થાય છે- ઘરમાં અપરાજિતા છોડ લગાવવાથી ધનની તંગી દૂર થાય છે. જે ઘરમાં આ છોડ લગાવવામાં આવે છે ત્યાં, નાણાંકીય સમસ્યા થતી નથી. 
  • સુખ-શાંતિનો વાસ- ઘરમાં અપરાજિતા લગાવવાથી સુખ-શાંતિ આવે છે. જેથી ઘરમાં થતો વગર કામનો કલેશ દૂર થાય છે અને ઘરમાં આ છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. 
  • સકારાત્મક ઊર્જાનો પ્રસાર- અપરાજિતા છોડમાં માઁ લક્ષ્મીનો વાસ હોય છે. જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રસાર થાય છે અને ઘરના સભ્યો પોઝિટીવ રહે છે. 
  • કુંડળી દોષ દૂર થાય છે- અપરાજિતાના ફૂલથી શનિદેવ પ્રસન્ન થાય છે. કુંડળીમાં શનિ ભારે હોય તો અપરાજિતાના ફૂલથી અનેક લાભ થઈ શકે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ