બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ભારત / મહાકુંભમાં જવાનો છે પ્લાનિંગ? તો માત્ર પ્રયાગરાજ ફરીને પાછા ન આવતા, જોઇ આવજો આ 5 ઐતિહાસિક સ્થળો
Last Updated: 04:30 PM, 7 January 2025
પ્રયાગરાજ માત્ર નગરી શહેર અને કુંભ મેળા પૂરતું સીમિત નથી, પરંતુ આ શહેરમાં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે જ્યાં તમે પવિત્ર સ્નાન કર્યા પછી મુલાકાત લઈ શકો છો. જો તમને ઈતિહાસમાં રસ હોય તો તમને આ જગ્યાઓ ચોક્કસ ગમશે.
ADVERTISEMENT
'કુંભ' સ્નાન અને મેળો 13 જાન્યુઆરીથી શરૂ થશે. વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે 'મહા કુંભ' છે જેનો શુભ સમય 144 વર્ષ પછી આવે છે. આવી સ્થિતિમાં વર્ષ 2025માં યોજાનારા કુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી શક્યતા છે. જો તમે પણ તમારા પરિવાર સાથે કુંભ સ્નાન કરવા જઈ રહ્યા છો, તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પ્રયાગરાજ માત્ર સંગમ શહેર અને કુંભ મેળા પૂરતું જ સીમિત નથી, પરંતુ આ શહેરમાં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે જ્યાં તમે પવિત્ર સ્નાન કર્યા પછી મુલાકાતે જઇ શકો છો. જો તમે ઈતિહાસમાં રસ ધરાવો છો તો આ જગ્યાઓ તમને ચોક્કસથી આકર્ષિત કરશે. તો ચાલો અમે તમને એવા 5 ઐતિહાસિક સ્થળો વિશે જણાવીએ જ્યાં તમારે એક વાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
ADVERTISEMENT
અલ્હાબાદ કિલ્લો
ADVERTISEMENT
તમે 1583માં મુઘલ સમ્રાટ અકબર દ્વારા બનાવવામાં આવેલ આ કિલ્લાની મુલાકાત લઈ શકો છો. તમને અહીં અક્ષયવત વૃક્ષ, અશોક સ્તંભ, ભૂગર્ભ મંદિરો જોવા મળશે. જે મુઘલ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.
આનંદ ભવન
ADVERTISEMENT
આ નહેરુ પરિવારનું રહેઠાણ હતું. તેનું નિર્માણ મોતીલાલ નેહરુ દ્વારા 1930માં કરવામાં આવ્યું હતું. જે બાદમાં મ્યુઝિયમમાં ફેરવાઈ ગયું હતું. અહીં તમને નેહરુ પરિવાર અને આઝાદી સાથે જોડાયેલી માહિતી જાણવાનો મોકો મળશે.
ખુસરો બાગ
ADVERTISEMENT
મુઘલ શાસન સમયનો આ બગીચો પ્રયાગરાજનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર પણ છે. એવું કહેવાય છે કે આ જગ્યા રાજકુમાર ખુસરોનું વિશ્રામ સ્થાન હતું. અહીં આવ્યા પછી તમે ખૂબ જ હળવાશ અનુભવશો કારણ કે અહીંની પ્રાકૃતિક સુંદરતા તમને માનસિક શાંતિ પ્રદાન કરશે.
ADVERTISEMENT
ભારદ્વાજ આશ્રમ
તમને જણાવી દઈએ કે આ આશ્રમ વિશે એવું કહેવાય છે કે વનવાસ દરમિયાન મર્યાદા પુરુષોત્તમ રામ, દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે રહ્યા હતા. અહીં તમને ભરત અને સીતા કુંડ પણ જોવા મળશે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે અહીં ભરતકુંડ પાસે યજ્ઞ કર્યો હતો. આ આશ્રમમાં તમને શિવાલય પણ જોવા મળશે જે ઋષિ ભારદ્વાજના સમયથી પહેલા જેવું જ છે. જો તમને ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓમાં રસ હોય તો તમારે એકવાર આ આશ્રમની મુલાકાત લેવી જ જોઈએ.
આ પણ વાંચોઃ રાજસ્થાન / આસારામ બાપુને મળ્યા વચગાળાના જામીન, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
ત્રિવેણી સંગમ
મહાકુંભ દરમિયાન તમારે ત્રિવેણી સંગમ અવશ્ય જોવું જોઈએ. આ તે સ્થાન છે જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ આ ત્રણેય નદીઓ સંગમ સ્થાન પર મળે છે. અહીં કુંભ સ્નાન થાય છે અને તેથી આ સ્થાન ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિક્ટોરિયા મેમોરિયલ
અહીં ઇટાલિયન સંગમરમસ પત્થરોથી બનેલું સ્ટ્રક્ચર છે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ એક એવી છત્રી છે જેની નીચે અગાઉ રાણી વિક્ટોરિયાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. બાદમાં આ પ્રતિમાને હટાવી દેવામાં આવી હતી પરંતુ છત્રની રચના હજુ પણ ત્યાં જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.