બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચોમાસામાં શક્તિ વધારવાનો મળી ગયો ઉપાય, આ ફળના બીજ વધારશે ઈમ્યુનિટી, બીજા અઢળક લાભ

photo-story

10 ફોટો ગેલેરી

હેલ્થ / ચોમાસામાં શક્તિ વધારવાનો મળી ગયો ઉપાય, આ ફળના બીજ વધારશે ઈમ્યુનિટી, બીજા અઢળક લાભ

Last Updated: 08:24 AM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે જો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી નથી, તો તમને વાયરલ સંક્રમણોનું જોખમ વધારે રહે છે. આવા સમયે તમારે તમારી ડાયટમાં એવી કેટલીક વસ્તુઓને સામેલ કરવાની જરૂર છે, જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે. આવો જાણીએ ડાયટમાં કઈ વસ્તુ સામેલ કરવાથી ફાયદો થશે?

1/10

photoStories-logo

1. જાંબુનું ફળ

તમે ફળોના ફાયદા વિશે તો સાંભળ્યું હશે. પણ ઘણા ફળો એવા પણ હોય છે, જેમના બીજ પણ સુપરફૂડ કરતાં ઓછા નથી. જો તેનું સેવન કરવામાં આવે, તો તમે અનેક રોગોથી દૂર રહી શકો છો. ચોમાસામાં મળતું એક ફળ જાંબુ પણ આ યાદીમાં સામેલ છે. જાંબુનું ફળ, તેના બીજ અને તેના પાંદડા, ત્રણેય ગુણકારી હોય છે. આવો જાણીએ તેના બીજના ફાયદાઓ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. ઇમ્યુનિટી

આયુર્વેદ મુજબ, જાંબુના બીજમાં એન્ટિમાઇક્રોબિયલ જેવા ગુણો હોય છે. તેને ખાવાથી નુકસાનકારક બેક્ટેરિયાની અસર આપણા સ્વાસ્થ્ય પર ઓછી થાય છે. તેથી તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તમને ચોમાસામાં શરદી-ખાંસી કે વાયરસ ઇન્ફેક્શનથી બચાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. બ્લડ શુગર

જાંબુના બીજનો પાવડર ખાવાથી બ્લડ શુગરનું લેવલ નિયંત્રિત રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખુબ જ લાભદાયી હોય છે, કારણ કે તે ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે. આ સિઝનમાં તમામ ડાયાબિટીસના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ જાંબુનું સેવન કરે. સાથે જ, તેના બીજોને સુકવીને તેનો પાવડર બનાવે, જેથી નિયમિત રીતે લઈ શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. વજન ઘટાડવામાં મદદરૂપ

વજન ઘટાડવામાં પણ આ બીજનો પાવડર ખૂબ મદદરૂપ થાય છે, કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેના સેવનથી ભૂખ ઓછી લાગે છે, જે વેઇટ લોસમાં સહાયક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. પાચન સુધારવું

જો તમને પાચન સંબંધિત તકલીફો રહેતી હોય, તો ચોમાસામાં તે વધી શકે છે. જાંબુના બીજનો પાવડર ખાવાથી કબજિયાત, ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ત્વચા માટે લાભદાયી

જાંબુમાં એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે આપણી ત્વચા માટે લાભદાયી હોય છે. ચોમાસામાં પિમ્પલ્સ, ડાઘ-ધબ્બા, ફુન્સી થવાની શક્યતા વધારે હોય છે. જાંબુના બીજ તેને રોકવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. બ્લડ પ્રેશર કંટ્રોલ

જો કોઈને હાઈ બીપીની તકલીફ હોય, તો તેઓ જાંબુના બીજનો પાવડર લઈ શકે છે. તેનાથી બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. પાવડર કેવી રીતે બનાવવો?

તે માટે તમારે 5 થી 7 જાંબુના બીજોને સારી રીતે ધોઈને સુકવી લેવાના છે. જ્યારે એ સારી રીતે સુકાય જાય, ત્યારે થોડા શેકી લો, અને મિક્સરમાં પીસી લો અને કોઈ એરટાઈટ ડબ્બામાં રાખી લો. તમે ઈચ્છો તો તેને માઈક્રોવેવમાં થોડા મિનિટ મુકી તેને સુકવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. કેવી રીતે ઉપયોગમાં લેવો?

તેને તમે ખાલી પેટ સવારે હૂંફાળા પાણીમાં મેળવીને લઈ શકો છો. જ્યૂસ અને અન્ય પીણાંમાં મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. Disclaimer:

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Health Tips Jamun Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ