જો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે કામના છે. પાન કાર્ડ ધારકોને 31 માર્ચ 2022 સુધી તમારા કાયમી એકાઉન્ટ નંબર પાન કાર્ડને આધાર કાર્ડ નંબર સાથે જોડવાની સલાહ આપવામાં આવે છે.
31 માર્ચ 2022 સુધી તમારો પાન કાર્ડ નંબર આધાર સાથે લિન્ક કરો
જો આધાર સાથે લિન્ક નહીં કરાવો તો પાન કાર્ડ થશે ડીએક્ટિવેટ
પાન કાર્ડ ધારકને દંડ તરીકે 10,000 રૂપિયાની પણ કરવી પડશે ચૂકવણી
જો તમારી આ ડેડલાઈન પહેલા તમારા પાન કાર્ડને આધાર સાથે લિન્ક નહીં કરાવો તો તમારા પાન કાર્ડને ડીએક્ટિવેટ પણ કરી શકાય છે. આ સાથે પાન કાર્ડને આધાર સાથે જોડવા માટે 1000 રૂપિયા પણ ચૂકવવા પડશે. પાન કાર્ડ ધારકની સમસ્યા અહીં સમાપ્ત નથી થતી. કારણકે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બેંક ખાતુ વગેરે ખોલવામાં રોકાણ કરવામાં સક્ષમ નહીં થાય. જ્યાં પાન કાર્ડ પ્રસ્તુત કરવુ જરૂરી છે.
પાન કાર્ડ ધારકોને આપવા પડશે 10,000 રૂપિયા
આ ઉપરાંત જો વ્યક્તિ પાન કાર્ડ રજૂ કરે છે તો તે હવે માન્ય નથી. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272N હેઠળ નક્કી કરેલ અધિકારી નિર્દેશ આપે છે કે આવો વ્યક્તિ દંડ તરીકે 10,000 રૂપિયાની રકમની ચૂકવણી કરશે.
ઓનલાઈન આ રીતે કરો લિન્ક
સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જાઓ.
આધાર કાર્ડમાં આપવામાં આવેલુ નામ, પાન નંબર અને આધાર નંબર નાખો.
આધાર કાર્ડમાં ફક્ત જન્મનુ વર્ષ હોવા પર સ્કવેર ટિક કરે.
હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
તમારું પાન કાર્ડ આધાર સાથે લિન્ક થઇ જશે.