બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Palanpur Convention Umiyadham President Sanatan Dharma Statement Election
Ajit Jadeja
Last Updated: 02:28 PM, 17 March 2024
Palanpur News: લોકસભા ચૂંટણીને લઇને રાજ્યમાં વિવિધ સમાજો તેમની રાજકીય અને સામાજિક માગણીઓ પક્ષ સમક્ષ મુકી રહ્યા છે. તેવામાં લોકસભા ચૂંટણીને લઇને પાટીદાર સમાજ કઇ પાર્ટી સાથે છે તેને લઇને મોટું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે જે પાર્ટી સનાતન ધર્મ સાથે હશે તેની સાથે પાટીદાર સમાજ હશે. પાલનપુરમાં આયોજિત મહાસંમેલનમાં આર.પી. પટેલે આ નિવેદન આપ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા જ પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે. 31 ગામ કડવા પાટીદાર સમાજ વાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલન યોજવામાં આવ્યુ છે. જેમાં મોટીસંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાલનપુરમાં લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન યોજવામાં આવ્યુ છે. આ સંમેલનમાં રાજ્યના કદાવર મંત્રીની ખાસ ઊપસ્થિતી જોવા મળી છે. આ સાથે સમાજના જાણીતા અગ્રણીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં મોટીસંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થીત જોવા મળી હતી.
પાલનપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલે લોકસભા ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની પડખે રહેશે તેને લઇને ખુલાસો કર્યો છે. ચૂંટણીને લઇને આર.પી.પટેલે કહ્યુ છે કે જે પાર્ટી સનાતન ધર્મ સાથે રહેશે તેની સાથે પાટીદાર રહેશે. સનાતન ધર્મની સાથે રહેનારી પાર્ટીની સાથે પાટીદાર સમાજ....સનાતનને અપશબ્દો બોલનારને જડબાતોડ જવાબ આપીશું. નોધનીય છે કે, પાટીદાર સમાજના અગ્રણી દ્વારા અપાયેલા નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકિય પાર્ટીઓ દ્વારા પણ હવે વોટબેંક પર પકડ જમાવવા માટે હિન્દુત્વનો મુદ્દો મહત્વનો બની રહેશે. હિન્દુ મતદારો પણ હવે સનાતન ધર્મ સાથે રહેનાર પાર્ટીઓની સાથે રહેવાનું ખુલીને કહી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણીના માહોલમાં કેવા સમીકરણો જોવા મળે છે તેના પર નજર રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024