બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામમાં આતંકીઓએ ફક્ત પુરુષોને જ કેમ માર્યાં, મહિલાઓ-બાળકોને કેમ છોડ્યાં? ગોથે ચઢી જાય તેવું કારણ

પહેલગામ એટેક / પહેલગામમાં આતંકીઓએ ફક્ત પુરુષોને જ કેમ માર્યાં, મહિલાઓ-બાળકોને કેમ છોડ્યાં? ગોથે ચઢી જાય તેવું કારણ

Last Updated: 03:39 PM, 27 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામ આતંકી હુમલામાં સૌથી વધુ મૂઝવતા સવાલ 'ફક્ત પુરુષોની જ હત્યા'નો જવાબ આખરે મળી ગયો છે.

22 એપ્રિલે જમ્મ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં એક પછી એક રહસ્ય બહાર આવી રહ્યાં છે. હવે બીજુ એક મોટું રહસ્ય સામે આવ્યું છે. હકીકતમાં પહેલગામમાં આતંકીઓએ જે 26 પ્રવાસીઓની હત્યા કરી તેમાં બધા પુરુષો જ હતા, મહિલાઓ અને બાળકો નહોતા. હકીકતમાં ફરવા તો તો મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં આવ્યાં હતા પરંતુ તેમને જીવતા છોડી દેવાયા હતા અને પુરુષોને જ શુટઆઉટ કરી નખાયા હતા. આતંકવાદીઓએ આવું કેમ કર્યું? તો તેનો પણ આખરે જવાબ મળી ગયો છે.

ફક્ત પુરુષોની જ કેમ હત્યા?

બચી ગયેલા કેટલાક લોકોનું એવું કહેવું છે કે આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકોને એટલા માટે છોડ્યાં હતા કે તેઓ જઈને મોદી સરકારને મેસેજ આપી શકે કે આ બધું સરકારને કારણ થયું છે, મહિલાઓ-બાળકોને છોડીને આતંકવાદીઓએ કદાચ ફરિશ્તાની પણ છાપ પાડી હોય.

26થી વધુ પ્રવાસીઓની હત્યા

પહેલગામ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયાં છે. આતંકવાદીઓએ નામ અને ધર્મ પૂછીને તથા મહિલાઓ અને બાળકોને અલગ કરીને પુરુષોને ગોળીએ વીંધી નાખ્યાં હતા.

કોણ છે પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ

પહેલગામ આતંકી હુમલામાં નવા નવા ફણગા ફૂટતાં જાય છે. હવે માસ્ટર માઈન્ડને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ હુમલાનો માસ્ટર માઈન્ડ અનંતનાગનો 20 વર્ષનો યુવાન આદિલ થોકર છે જે અનંતનાગમાં રહેતા વલી મોહમ્મદ થોકરનો પુત્ર છે જેણે પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબાના કમાન્ડરો સૈફુલ્લાહ કસુરી અને અબુ મુસા સાથે મળીને પહેલગામ હુમલાની યોજના બનાવી હતી. હુમલા બાદ આદિલ તેના સાથીઓ સાથે પીર પંજાલની પહાડીઓમાં ગાયબ થઈ ગયો હતો અને હાલમાં તેની શોધખોળ માટે મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈનપુટ્સ સૂચવે છે કે આદિલ તાજેતરમાં પહેલગામના બૈસરન ખીણ વિસ્તારમાં સક્રિય હતો, બૈસરન ખીણમાં જ પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. લગભગ ચાર-પાંચ આતંકવાદીઓ અને આદિલ સહિત બે સ્થાનિક આતંકવાદીઓએ યુએસ-નિર્મિત M-4 રાઇફલ અને AK 47/56 નો ઉપયોગ કરીને પહેલગામ પર ભયાનક હુમલો કર્યો હતો. હુમલાને નજર જોનાર લોકોએ એવું કહ્યું કે ટ્રિગર દબાવનાર આતંકવાદી આદિલ જ હતો જે પછી તેઓ બધા પીર પંજાલના ગાઢ પાઈન જંગલોમાં ગાયબ થઈ ગયા, ચાર આતંકીઓ આર્મીના યુનિફોર્મમાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pahalgam attack updated pahalgam attack pahalgam attack news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ