બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પહેલગામમાં આતંકીઓએ ફક્ત પુરુષોને જ કેમ માર્યાં, મહિલાઓ-બાળકોને કેમ છોડ્યાં? ગોથે ચઢી જાય તેવું કારણ
Last Updated: 03:39 PM, 27 April 2025
22 એપ્રિલે જમ્મ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં એક પછી એક રહસ્ય બહાર આવી રહ્યાં છે. હવે બીજુ એક મોટું રહસ્ય સામે આવ્યું છે. હકીકતમાં પહેલગામમાં આતંકીઓએ જે 26 પ્રવાસીઓની હત્યા કરી તેમાં બધા પુરુષો જ હતા, મહિલાઓ અને બાળકો નહોતા. હકીકતમાં ફરવા તો તો મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં આવ્યાં હતા પરંતુ તેમને જીવતા છોડી દેવાયા હતા અને પુરુષોને જ શુટઆઉટ કરી નખાયા હતા. આતંકવાદીઓએ આવું કેમ કર્યું? તો તેનો પણ આખરે જવાબ મળી ગયો છે.
ADVERTISEMENT
Shahil Khan celebrated the Pahalgam terror attack, saying "We have killed only 28 and you're shivering, we will destroy the Dharampur Temple."
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 27, 2025
Locals in Dehradun caught him, serviced, thrashed, paraded him, and handed him over to the police pic.twitter.com/HhLvffIcK3
ફક્ત પુરુષોની જ કેમ હત્યા?
ADVERTISEMENT
બચી ગયેલા કેટલાક લોકોનું એવું કહેવું છે કે આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકોને એટલા માટે છોડ્યાં હતા કે તેઓ જઈને મોદી સરકારને મેસેજ આપી શકે કે આ બધું સરકારને કારણ થયું છે, મહિલાઓ-બાળકોને છોડીને આતંકવાદીઓએ કદાચ ફરિશ્તાની પણ છાપ પાડી હોય.
NIA Takes Over Pahalgam Terror Attack Case on MHA’s Orders pic.twitter.com/w5oUOrECa1
— NIA India (@NIA_India) April 27, 2025
26થી વધુ પ્રવાસીઓની હત્યા
પહેલગામ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયાં છે. આતંકવાદીઓએ નામ અને ધર્મ પૂછીને તથા મહિલાઓ અને બાળકોને અલગ કરીને પુરુષોને ગોળીએ વીંધી નાખ્યાં હતા.
Eerie survivor account from #pahalgamattack site
— Nabila Jamal (@nabilajamal_) April 25, 2025
UP woman who narrowly escaped the carnage recalls how a local pony handler's strange tone and behaviour unsettled her. Trusting her instincts, she and her friends called off their ride to the upper meadows, minutes before the… pic.twitter.com/D732aNtHtN
કોણ છે પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ
પહેલગામ આતંકી હુમલામાં નવા નવા ફણગા ફૂટતાં જાય છે. હવે માસ્ટર માઈન્ડને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ હુમલાનો માસ્ટર માઈન્ડ અનંતનાગનો 20 વર્ષનો યુવાન આદિલ થોકર છે જે અનંતનાગમાં રહેતા વલી મોહમ્મદ થોકરનો પુત્ર છે જેણે પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબાના કમાન્ડરો સૈફુલ્લાહ કસુરી અને અબુ મુસા સાથે મળીને પહેલગામ હુમલાની યોજના બનાવી હતી. હુમલા બાદ આદિલ તેના સાથીઓ સાથે પીર પંજાલની પહાડીઓમાં ગાયબ થઈ ગયો હતો અને હાલમાં તેની શોધખોળ માટે મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈનપુટ્સ સૂચવે છે કે આદિલ તાજેતરમાં પહેલગામના બૈસરન ખીણ વિસ્તારમાં સક્રિય હતો, બૈસરન ખીણમાં જ પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. લગભગ ચાર-પાંચ આતંકવાદીઓ અને આદિલ સહિત બે સ્થાનિક આતંકવાદીઓએ યુએસ-નિર્મિત M-4 રાઇફલ અને AK 47/56 નો ઉપયોગ કરીને પહેલગામ પર ભયાનક હુમલો કર્યો હતો. હુમલાને નજર જોનાર લોકોએ એવું કહ્યું કે ટ્રિગર દબાવનાર આતંકવાદી આદિલ જ હતો જે પછી તેઓ બધા પીર પંજાલના ગાઢ પાઈન જંગલોમાં ગાયબ થઈ ગયા, ચાર આતંકીઓ આર્મીના યુનિફોર્મમાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.