બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Outrage among farmers over rising prices of DAP, Minister Faldu finally clarified

ગાંધીનગર / DAP ખાતરનો ભાવ વધતાં ખેડૂતોમાં રોષ, કૃષિમંત્રી ફળદુએ કરી આખરે સ્પષ્ટતા, જાણો શું કહ્યું

Shyam

Last Updated: 04:55 PM, 27 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વેચાણ કરતી ખાતરની કંપનીએ ભાવ વધાર્યા નથી. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઈ ભાવ વધારો નથી.

  • ખાતરના ભાવમાં વધારાનો મામલો
  • ખાતરના ભાવ વધારા મુદ્દે આર.સી ફળદુનું નિવેદન
  • "ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ નહીં પડે"

ખાતરના ભાવ વધારાના મામલે આર.સી.ફળદુએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ પડશે નહીં. ગુજરાતમાં વેચાણ કરતી ખાતરની કંપનીએ ભાવ વધાર્યા નથી. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઈ ભાવ વધારો નથી. બેંગાલુરૂમાં એક કંપનીએ ભાવ વધારો કર્યો છે. 

રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઇ કૃષિમંત્રી આર.સી. ફળદુએ સ્પષ્ટતા કરી છે કે, રાસાયણિક ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં. ચૂંટણીઓ હારી જતા વિરોધીઓએ અફવા ફેલાવી છે. પૂરતો સ્ટોક છે કોઈ લાઈનો લગાવવાની જરૂર નથી. વધુ ભાવ લેશે તેનું લાયસન્સ રદ કરાશે.

તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલીના વડિયામાં ખાતરની ખરીદી વધી છે. NPK અને DAP ખાતર લેવા ખેડૂતો ડેપો પર પહોંચ્યા છે. ડેપો મેનેજરે પણ વધુ ખરીદી થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. ખાતરના ભાવ વધારાની જાહેરાતને પગલે ખેડૂતો ખરીદી કરી રહ્યાં છે. જો કે, આ બાબતે રાજ્યના કૃષિ પ્રધાને નિવેદન આપીને ભાવ વધારાના મુદ્દાને નકારી દીધો છે. 

જાણો દિલીપ સંઘાણીએ પણ કરી સ્પષ્ટતા

ખાતરના ભાવમાં વધારાના મામલે દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે, રો-મટિરિયલના ભાવમાં વધારો થતા ખાતરના ભાવ વધ્યા છે. ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો નથી. અન્ય કંપનીએ ખાતરના ભાવ વધાર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

DAP Fertilizer R.C Faldu આર.સી.ફળદુ ખાતર DAP Fertilizer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ