બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમિત શાહે અમદાવાદથી તાબડતોબ મંગાવી આ ચીજ, પછી પહેલગામના આતંકીઓ ઠાર, આખી રાત જાગ્યાં

દિલ્હી / અમિત શાહે અમદાવાદથી તાબડતોબ મંગાવી આ ચીજ, પછી પહેલગામના આતંકીઓ ઠાર, આખી રાત જાગ્યાં

Hiralal Parmar

Last Updated: 10:43 AM, 30 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામના આતંકીઓને ઠાર મારવા માટે શરુ કરાયેલું ઓપરેશન મહાદેવને લઈને મોટા ખુલાસાં થયા છે.

પહેલગામના આતંકીઓને ઠાર મારવા માટે અડધી રાતે જ એક્શન પ્લાન ઘડાયો તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટી ભૂમિકા ભજવી હતી, જેમણે અડધી રાતે ઈન્ડિયન એરફોર્સના વિમાનમાં અમદાવાદથી એક ખાસ ચીજ મંગાવી હતી જે પછી જ પહેલગામના આતંકીઓને ઠાર કરાયા હતા, અમદાવાદથી મંગાવેલી આ ચીજ જ અદ્દભુત હતી.

અડધી રાતે અમિત શાહે અમદાવાદથી શું મંગાવ્યું?

હકીકતમાં અમદાવાદ ફોરેન્સિક લેબનું એક ખાસ મશીન દેશમાં ખૂબ ખ્યાતનામ છે જેનાથી કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિઓની પાકી ખાતરી થાય છે. પહેલગામ હુમલાના આતંકીઓએ જે બંદૂકો વાપરી હતી તેની પાકા પાયે ખાતરી કરવા માટે જ અમિત શાહે અમદાવાદથી આ મશીન મંગાવ્યું હતું.

આખી રાત જાગ્યાં અમિત શાહ

ઓપરેશન મહાદેવમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ત્રણ આતંકવાદીઓ પહેલગામ હુમલા માટે જવાબદાર હતા. ખુદ અમિત શાહે વહેલી સવાર સુધી જાગ્યા હતા અને ઓપરેશનની પળપળની માહિતી લઈ રહ્યાં હતા.

અમિત શાહ ફોરેન્સિક લેબના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહ ચંદીગઢ ફોરેન્સિક લેબના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. જ્યારે ત્યાંથી રિપોર્ટ આવ્યો કે બંદૂકો મેચ થઈ રહી છે, ત્યારે તેમણે રિપોર્ટ મંગાવ્યો અને વીડિયો કોલ દ્વારા તેની પુષ્ટિ કરી હતી. ફોરેન્સિક અધિકારીએ કહ્યું કે આ એ જ બંદૂકો છે જેનાથી પહેલગામમાં નિર્દોષ લોકોને મારવામાં આવ્યા હતા. અર્થાત ફોરેન્સિક રિપોર્ટમાં સ્પસ્ટ થયું કે આ એજ બંદૂકો હતી જેનો ઉપયોગ પહેલગામ હુમલામાં થયો હતો.

વધુ વાંચો : 'મમ્મી કહેતી બહાર જાવ ત્યારે કોન્ડોમ લઈ જવાનો' અજય દેવગણની એક્ટ્રેસનો ધડાકો, 1 ઓગસ્ટે ફિલ્મ રીલિઝ

અમદાવાદથી મશીન આવ્યાં બાદ ઓપરેશનને આખરી ઓપ

અમિત શાહના આદેશ પ્રમાણે, એરફોર્સના વિમાનમાં અમદાવાદથી ફોરેન્સિક મશીન ચંદીગઢ લવાયા હતા. જ્યારે આતંકવાદીઓ પાસેથી મળેલી બંદૂકો ત્યાં મોકલવામાં આવી, તે મેચ થઈ હતી. આ પછી આખો પ્લાન ઘડાયો અને આતંકવાદીઓને ઘેરીને ઠાર કરાયા હતા.

પહેલગામના ગુનેગારો ઠાર

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં પહેલગામ હુમલાના 3 આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓએ 22 એપ્રિલ પહેલાગામમાં હુમલો કરીને 26 લોકોની હત્યા કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation mahadev amit shah
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ