બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 11:38 AM, 19 July 2023
અપકમિંગ મૂવી OMG-2ને લઈને વિવાદ ઉભો થઈ રહ્યો છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના પુજારીઓએ પણ ફિલ્મ સાથે જોડાયેલા અમુક શોર્ટ્સને લઈને વાંધો ઉઠાવ્યો છે. ત્યાં જ મહાકાલ મંદિરના પુજારીઓએ ફિલ્મ રિલીઝ થવા બાદ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિવાદ સામે આવવા પર વિરોધ કરવાની ચેતાવણી પણ આપી છે.
11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ
ફિલ્મ 11 ઓગસ્ટ 2023એ થિએટર્સમાં રિલીઝ થવાની છે. જ્યાં સેન્સર બોર્ડે તેના પહેલા જ ફિલ્મ પર રોક લગાવી દીધી છે. ફિલ્મને એક વખત ફરી રિવ્યૂ કમિટીએ પરત મોકલી છે. જ્યાં રિવ્યૂ કમિટીના વિચાર બાદ સેન્સર બોર્ડ પોતાનો છેલ્લો નિર્ણય કરશે. ફિલ્મના અમુક શોર્ટ્સ ઉજ્જૈનમાં લેવામાં આવ્યા છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સહિત તમામ કલાકારોએ ભાગ લીધો છે.
નારાજ થયા મંદિરના પુજારી
જાણકારી અનુસાર સેન્સર બોર્ડની તરફથી આવેલા એક્શન બાદ મહાકાલ મંદિરના પુજારી નારાજ જોવા મળી રહ્યા છે. જ્યાં મંદિરના મુખ્ય પુજારી મહેશ શર્માનું કહેવું છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ સનાતન ધર્મ સાથે જોડાયેલો વિવાદ સામે આવવા પર મહાકાલ સેના તેનો વિરોધ કરશે.
માટે યોગ્ય રહેશે કે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ફિલ્મમાં શામેલ કરવામાં આવેલા આપત્તિજનક શોર્ટ્સ હટાવી લેવામાં આવે. તેની સાથે જ તેમણે કહ્યું કે ફિલ્મ પહેલા સાધુ-સંતોને બતાવવામાં આવે ત્યાર બાદ જ ફિલ્મને રિલીઝ કરવામાં આવે.
મહાકાલેશ્વર મંદિરમાં થઈ છે શૂટિંગ
ફિલ્મ ઓહ માય ગોડ 2 એટલે કે OMG-2ની શૂટિંગ મહાકાલેશ્વર મંદિરમાં થઈ હતી. જ્યાં ઓક્ટોબર 2021માં થયેલી ફિલ્મની શૂટિંગ લગભગ એક અઠવાડિયા સુધી ચાલી હતી. ત્યારે મહાકાલેશ્વર મંદિરના અલગ અલગ સ્થાનો પર ફિલ્મને શૂટ કરવામાં આવી હતી અને ફિલ્મને શૂટ કરવા માટે અભિનેતા અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સહિત તેમની આખી ટીમ ઈંદૌર અને ઉજ્જૈન આવી હતી.
ફિલ્મની શૂટિંગના સમયે પણ વિવાદ થયો હતો. જ્યાં પ્રવચન હોલમાં ભોજન બનાવવા પર મહંતે સવાલ ઉઠાવ્યો હતો. તો ત્યાં જ હવે ફિલ્મમાં દર્શાવવા જઈ રહેલા અમુક ભાગોને લઈને વિવાદની સ્થિતિ બનતી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime