બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / No rain in Gujarat for 8 more days, big update on Talati tide, Modi govt changes 313 laws
Dinesh
Last Updated: 07:24 AM, 12 August 2023
ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
Talati and Junior Clerk Exam Result : તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ફાઈનલ પરિણામને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે જણાવીએ કે, લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.તલાટી અને જુનિયર ક્લાર્કનું ફાઈનલ પરિણામ તેમજ Gram Sevak એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટના ઉમેદવારો માટે જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમનું લિસ્ટ જાહેર થઈ ગયો છે. જે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. પરિણામ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો https://gpssb.gujarat.gov.in/
બગોદરા હાઈવે અકસ્માત : અમદાવાદના બાવળા -બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિના મોત થયા છે તો 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ફરી એકવાર મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાવળા બગોદરા રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. વિગતો મુજબ પંચર પડેલા ટ્રક રોડ પર ઉભું હતું ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતકો કપડવંજના સુધા ગામના હોવાનું સામે આવ્યું છે.
ખનીજ વહન કરતા વાહનોને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવે ખનીજ વહન કરનાર વાહનમાં GPS ફરજિયાત કરાયુ છે. જેનાં ભાગરૂપે આગામી તા. 30 સપ્ટેમ્બર-2023 પછી પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો ખનીજ વહન માટે અમાન્ય ગણાશે. આગામી તા. 30 સપ્ટેમ્બરથી જીપીએસ બેઝડ વ્હિકલ ટ્રેકિંગ ડિવાઇસ થકી VTMS પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો રાજ્યમાં ખનીજ ખનન કે વાહન તથા સંગ્રહ માટે ગેરકાયદે ગણાશે.
'ભારતમાં હવે રાજદ્રોહ કાયદો નાબૂદ થશે'... ગૃહમંત્રી અમિત શાહે પોતે લોકસભામાં આની જાહેરાત કરી છે. વાસ્તવમાં ઘણા વિપક્ષી દળો લાંબા સમયથી આ કાયદાને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા હતા. આવો તમને જણાવીએ કે આ કાયદો શું છે અને ક્યારે કોઈ પર લાદવામાં આવ્યો હતો. આ સાથે જ જો તમે આમાં દોષી સાબિત થાવ છો તો તમને કેટલી સજા થશે.ભારતીય દંડ સંહિતાની કલમ 124Aના નામથી રાજદ્રોહના કાયદાને પણ જાણીએ છીએ. આ કાયદો 17મી સદીમાં અંગ્રેજોએ બનાવ્યો હતો. જો કે, આ કાયદો મૂળ 1837માં બ્રિટિશ ઈતિહાસકાર અને રાજકારણી થોમલ મેકોલે દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે બ્રિટિશ સરકારે આ કાયદાનો ઉપયોગ એવા લોકો સામે કર્યો હતો, જેઓ સરકાર પ્રત્યે સારો અભિપ્રાય ધરાવતા ન હતા અને જાહેરમાં તેની વિરુદ્ધ બોલતા હતા.
અમદાવાદના લગભગ 80 હજાર જેટલા કરદાતાઓને કરકપાત મુદ્દે નોટિસ આપવામાં આવી છે. રિટર્નની મુદ્દત પૂરી થયા બાદ 10 દિવસમાં ખુલાસા માંગવામાં આવ્યા છે.મહત્વનું છે કે કરકપાત માટે જરૂરી દસ્તાવેજ રજૂ ન કરતા કરદાતાઓને ITએ નોટિસ પાઠવી છે. રિટર્નની વિગતો મિસમેચ થવાના કારણોમાં નોટિસ મોકલી જેનો 7 દિવસમાં જવાબ રજૂ કરવા માટે સમય અપાયો છે. ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં મિસમેચ હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસ અપાઈ છે. નોટિસ મળેલી મુદતમાં જરૂરી પુરાવા સાથે જવાબ રજૂ કરવો ફરજિયાત કરાયો છે.ITએ નોટિસ દ્વારા ટેક્સપેયરે કરેલ ઈપીએફનું વ્યાજ, મકાન ભાડું, શિક્ષણ ફી તેમજ મ્ચ્યુઅલફંડ, વીમાનું વ્યાજ, હાઉસિંગ લોનનું વ્યાજ, હાઉસિંગ લોનના હપ્તા અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણના દાવા કર્યા હતા.
Gandhingar News : ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે તા.13મી જુલાઇના રોજ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુડા વિસ્તારના 85 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ –13ના પ્લોટ નંબર 319 અને 309 ખાતે પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS –2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા 68 કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા 792 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં આવા ત્રણ બિલ રજૂ કર્યા છે, જે ઘણા કાયદાઓની નવી વ્યાખ્યા નક્કી કરી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલો રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે આગામી સમયમાં જ્યારે આ બિલ કાયદો બનશે ત્યારે ભારતીય ન્યાયિક સંહિતામાં મોટો ફેરફાર થશે. તેણે મોબ લિંચિંગથી માંડીને ભાગેડુ ગુનેગારો સુધીના કાયદામાં ઘણા ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભારતીય ન્યાય સંહિતા, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 અને ભારતીય પુરાવા બિલ, 2023ને વધુ તપાસ માટે સંસદીય પેનલને મોકલવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, નવા કાયદામાં અમારું લક્ષ્ય સજા આપવાનું નથી, પરંતુ ન્યાય આપવાનું છે. શાહે કહ્યું કે, 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાને લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશની સામે 5 શપથ લીધા હતા. તેમાંથી એક પ્રતિજ્ઞા હતી કે, અમે ગુલામીના તમામ ચિહ્નોને સમાપ્ત કરીશું. આજે હું જે ત્રણ બિલ લાવ્યો છું, તે ત્રણેય બિલ મોદીજીએ લીધેલા શપથમાંથી એકને પૂર્ણ કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ ન્યૂઝ: PM મોદીની ડિગ્રી વિવાદમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીની તે માંગને ફગાવી દીધી છે. જેમાં તેમણે નીચલી કોર્ટમાં બદનક્ષીના કેસની સુનાવણી જ્યાં સુધી રિવિઝન અરજી પેન્ડિંગ ન હોય ત્યાં સુધી રોકવાની માંગ કરી હતી. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ કેજરીવાલ અને સંજયની અરજી પર સુનાવણી કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ મિહિર જોશીએ વિવિધ દલીલો રજૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, રાહત આપવી જોઈએ. જોશીએ કોર્ટને બદનક્ષીના કેસની સુનાવણી જ્યાં સુધી સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અટકાવવા જણાવ્યું હતું.
હેટ સ્પીચને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને હેટ સ્પિચનાં મામલાઓ પર નજર રાખવા માટે એક કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. પત્રકાર શાહીન અબદુલ્હાએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે કોર્ટ કેન્દ્રને હેટ સ્પીચનાં મામલામાં કડકાઈ રાખવાનાં આદેશ આપે.આ અરજી અનુસાર હેટસ્પીચમાં ચોક્કસ સમુદાયનાં લોકોની હત્યાથી લઈને તેમના આર્થિક અને સામાજિક બહિષ્કારની વાતો છે. હાલમાં જ હરિયાણામાં ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં 6 લોકોનું મૃત્યુ થયું છે.
ભારતમાં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપના નવા શેડ્યૂલની જાહેરાત ICC દ્વારા 9 ઓગસ્ટની સાંજે કરવામાં આવી હતી. જૂનના છેલ્લા સપ્તાહમાં જાહેર કરાયેલા સત્તાવાર શિડ્યુલના 9 મેચોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ પણ સામેલ છે, જે હવે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. આ સિવાય નેધરલેન્ડ સામેની ભારતીય ટીમની બીજી મેચના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે ભારતમાં ODI વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. તે સમયે સમગ્ર દેશમાં ઘણા મોટા ઉત્સવો થશે. તેની શરૂઆત નવરાત્રિથી થશે, ત્યારબાદ કાલી પૂજા અને દશેરા ઉપરાંત દિવાળી. ભારતીય ટીમની નેધરલેન્ડ સામેની મેચ હવે દિવાળી માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે, જે 12 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ 11 નવેમ્બરે નેધરલેન્ડ સામે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમવાની હતી.
ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ખાનગી શોધ માટે incognito mode છે. તમે ઘણી વખત તેનો ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ મોડ કેટલો ખાનગી છે. જો તમે લેપટોપ અને સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો તમે incognito mode વિશે સાંભળ્યું જ હશે. આ એક સુરક્ષા સુવિધા છે, જે લગભગ તમામ બ્રાઉઝર્સમાં જોવા મળે છે. ઘણી વખત એવું બને છે કે આપણે કેટલીક ખાનગી વસ્તુઓ શોધવાની જરૂર છે જે આપણે કોઈની સાથે શેર કરવા માંગતા નથી, તો incognito mode ઉપયોગી છે. શું incognito mode સુરક્ષિત છે? આપણે જે શોધીએ છીએ તે કોઈ ત્રીજાને ખબર નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog