બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / No charges on NEFT online money transfer from January

બેન્ક / NEFT ટ્રાન્ઝેક્શન ચાર્જ પર RBIએ કરી રાહત આપતી જાહેરાત, જાણો સમગ્ર મામલો

Published By: Noor

Last Updated: 10:49 AM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી જાન્યુઆરી 2020થી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT)અંગે બચત ખાતાધારકો માટે મોટા રાહતના સમાચાર છે. બેન્ક ખાતાધારકો પાસેથી કોઈ જ ચાર્જ વસૂલ કરવામા આવશે નહીં. ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી RBI દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

  • RBIએ લીધો NEFT ચાર્જિસ ખતમ કરવાનો નિર્ણય
  • NEFT પર જાન્યુઆરીથી કોઈ ચાર્જ નહીં લાગે
  • ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા RBIએ કરી જાહેરાત

RBIએ તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ફાસ્ટેગથી લિન્ક કરવાની મંજૂરી પણ આપી છે. ફાસ્ટેગનો ઉપયોગ હવે પાર્કિંગ ચાર્જિસની ચૂકવણી કરવા તથા પેટ્રોલ પંપ પર પણ કરવામાં આવી શકે છે. RBIએ જણાવ્યું હતું કે ઓક્ટોબર, 2018થી સપ્ટેમ્બર, 2019 સુધી નોન કેશ રિટેલ પેમેન્ટમાં ડિજીટલ પેમેન્ટની 96 ટકા હિસ્સેદારી રહી છે. આ સમયગાળા દરમિયાન રૂપિયા 252 કરોડના મૂલ્યના NEFT અને 874 કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા.

RBIએ જૂનમાં નાણાં નીતિની સમીક્ષાના સમયે NEFT ચાર્જિસ ખતમ કરવાનો નિર્ણય પણ લીધો હતો, પરંતુ આ અનિવાર્ય રીતે લાગુ કરવાની તારીખ નક્કી નથી. બેન્ક NEFT વ્યવહારના મૂલ્યને આધારે 1 રૂપિયાથી રૂપિયા 25 સુધી ચાર્જિસ વસૂલ કરે છે.

ICICI સહિત કેટલીક બેન્ક ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ એપથી NEFT પર ચાર્જિસ વસૂલ કરતી નથી, ફક્ત શાખાથી ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગે છે. SBI એ પણ જુલાઈમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ તથા યોનો મારફતે NEFT ચાર્જિસ ખતમ કર્યા હતા, પરંતુ હવે જાન્યુઆરીથી તમામ ચાર્જિસ રદ કરવામાં આવશે

આલેખનઃ મનીષા શાહ

સંકળાયેલા મુદ્દાઓ

Fastag Funds NEFT NEFT Charges RBI આરબીઆઈ એનઈએફટી ચાર્જિસ ફંડ ટ્રાન્સફર Bank

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ