ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યા બાદ સીએમ પદેથી રાજીનામું આપનાર નીતિશ કુમાર મહાગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા છે. નેતાની પસંદગી કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું છે કે હવે તેઓ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.
2017માં ગઠબંધન તોડવાનો અફસોસ- નીતિશ કુમાર
રાબડી દેવીના ઘરે બેઠક દરમિયાન નીતિશ કુમારે ફરી એકવાર નવી શરૂઆત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે 2017માં મહાગઠબંધન છોડવાનો તેમને અફસોસ છે. બેઠકમાં તેજસ્વી યાદવે નીતિશ કુમારને આરજેડીના ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો હતો.
Nitish Kumar elected leader of 'Mahagathbandhan' as prelude to staking claim to form new govt in Bihar: JD(U) sources
નીતિશ સોનિયા-રાહુલને મળવા દિલ્હી જશે
નીતિશ કુમાર દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી શકે છે. કોંગ્રેસ તરફથી સમાચાર આવ્યા છે કે નવી સરકાર પર મંથન કર્યા બાદ નીતિશ દિલ્હી જઈ શકે છે. નવી સરકારમાં કોંગ્રેસ પોતાના માટે સ્પીકરની સાથે ત્રણથી ચાર મંત્રી પદની માંગ કરી રહી છે.
2017માં જે બન્યું હતું તે ભૂલી જઈએ-નીતિશે તેજસ્વી યાદવને કહ્યું
બેઠકમાં નીતિશે તેજસ્વી યાદવ સાથે સરકાર રચવાની ચર્ચા કરી હતી. તેમણે તેજસ્વી યાદવને એવું પણ કહ્યું કે આપણે 2017માં જે બન્યું હતું તે ભૂલી જઈને હવે નવેસરથી શરુ કરવું જોઈએ.
શું બન્યું હતું 2017માં
ઉલ્લેખનીય છે કે 2017માં બિહારમાં જેડીયુ-આરજેડી અને કોંગ્રેસની મહાગઠબંધનની સરકાર હતી પરંતુ તે વખતના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યાં હતા જેને પરિણામે નીતિશ કુમારે તેમની સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે મળીને સરકારની રચના કરી હતી. પરંતુ હવે તેનાથી ઉલટું બન્યું છે. હવે નીતિશ કુમારે ભાજપ સાથેનું ગઠબંધન તોડીને ફરી મહાગઠબંધનની સરકારની રચના કરી છે.