રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી(57)ને ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ઓનરરી ટ્રસ્ટી બન્યા છે. મ્યુઝિયમના ચેરપેર્સન ડેનિયલ બ્રોડસ્કીએ આ માહિતી મંગળવારે આપી છે. નીતા અંબાણી છેલ્લાં ઘણાં વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝિયમના દેખાવકારોને સપોર્ટ કરી રહ્યાં છે. આ અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે.
રિલાયન્સ ફાઉન્ડેશન મેટ્રોપોલિટન મ્યુઝિયમને કરે છે સપોર્ટ
નીતા અંબાણી કરી રહ્યાં છે ભારતીય કલા-સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર
મેટ્રોપોલિટન મ્યુઝિયમ 149 વર્ષ જૂનું, તેમાં 5000 વર્ષ જૂની કલાકૃતિઓ
નીતા ભારતીય કલા-સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરી રહી છે
નીતા અંબાણીએ 2017માં કહ્યું હતું કે મેટ્રોપોલિટન મ્યુઝિયમ દ્વારા ભારતીય કલાને એક પ્રતિષ્ઠિત સંસ્થાનમાં પ્રદર્શનની તક મળી અને અમે કલા ક્ષેત્રમાં કામ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત થયા. નીતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરી રહી છે. તે દેશમાં સ્પોર્ટ્સ અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહન આપી રહી છે.
અહીં છે 5000 વર્ષ જૂની કલાકૃતિઓ
મેટ્રોપોલિટન મ્યુઝિયમ 149 વર્ષ જૂનું છે. અહી વિશ્વભરની 5000 વર્ષ જૂની કલાકૃતિઓ પણ છે. દર વર્ષે લાખો લોકો મ્યુઝિયમ જોવા જાય છે. તેમાંના ઘણા અબજપતિ અને સેલિબ્રિટી પણ હોય છે. મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ મંગળવારે કહ્યું કે નીતા અંબાણીની મદદથી મ્યુઝિયમની કલાના અધ્યયન અને પ્રદર્શનની ક્ષમતાઓમાં ખૂબ જ વધારો થયો.