બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / nirali multispeciality hospital inauguration by PM Modi
Dhruv
Last Updated: 02:17 PM, 10 June 2022
આજ રોજ PM મોદી નવસારીની મુલાકાતે છે ત્યારે તેઓએ નવસારીના ખુડવેલમાં ગુજરાત ગૌરવ અભિયાનમાં 2151 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ PM મોદીએ તાજેતરમાં જ નિરાલી હોસ્પિટલના હેલ્થ કોમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું. જ્યાં તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે, 'હવેથી નવસારી સહિત આસપાસના તમામ જિલ્લાના લોકોને આ આધુનિક હોસ્પિટલથી ખૂબ જ સારી સુવિધાઓ મળશે. છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.'
નવસારીમાં હેલ્થ કોમ્પલેક્ષનું PM મોદીએ કર્યું લોકાર્પણ | કહ્યું- ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ થયું, સ્વાસ્થ્ય સેવાઓને ગરીબો સુધી લઈ જવાનું અભિયાન ચલાવાયું અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ સેન્ટર બનાવાયા છે.@PMOIndia @narendramodi #Navsari #HealthcareComplex pic.twitter.com/13h7xifRmR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2022
ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓને ગરીબો સુધી લઈ જવાનું અભિયાન ચલાવાયું: PM
વધુમાં કહ્યું કે, 'ગુજરાતનો સ્વભાવ ઉર્જાવાન છે, આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી વધુ આગળ જવાનું છે, જનભાગીદારી વધશે એટલો દેશનો વિકાસ થશે. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ થયું, સ્વાસ્થ્ય સેવાઓને ગરીબો સુધી લઈ જવાનું અભિયાન ચલાવાયું અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ સેન્ટર બનાવાયા છે.'
નવસારી મેડિકલ કોલેજની વિશેષતા
નવીન હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ
PM મોદીએ આજે નવસારીમાં રૂ.2151 કરોડની યોજનાઓનું કર્યું ખાતમુહૂર્ત
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ આજે નવસારીમાં રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. નવસારીના ખુડવેલમાં આજે રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરીને દક્ષિણ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. જ્યાં તેઓએ સંબોધન કરતા કહ્યું હતું કે, 'અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી. અમારા માટે સત્તામાં રહેવું એટલે સેવાનું કામ કરવું છે.'
અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી. અમારા માટે સત્તામાં રહેવું એટલે સેવાનું કામ કરવું છે : નવસારીના ખુડવેલમાં રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમૂહૂર્ત દરમ્યાન બોલ્યા PM મોદી@PMOIndia @narendramodi #Navsari pic.twitter.com/1JN3J4zoWn
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2022
ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે, અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી: PM
PM મોદીએ નવસારીના ખુડવેલમાં સંબોધન કરતા જણાવ્યું કે, 'ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે. અહીં હું બસમાં આવતો, આટલા વર્ષો અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી.'
ગુજરાત ગૌરવ અભિયાન | મેં આટલા વર્ષ CM સ્વરૂપે કામ કર્યું પણ ક્યારેય આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ નહોતો થયો, આજે 5 લાખ લોકો આવ્યા છે: PM મોદી@PMOIndia @narendramodi #Navsari pic.twitter.com/advsKeVsGx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2022
એક સમયે CM પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરતા અને હું આજે 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું : PM
PM મોદીએ કહ્યું કે, 'ભૂતકાળમાં અહીં આપણે ત્યાં આ જ વિસ્તારના એક એવાં મુખ્યમંત્રી હતાં કે જેમના પોતાના ગામમાં જ પાણીની ટાંકી ન હોતી. હેડપમ્પ લગાવે, એ પણ 12 મહિને સૂકા થઇ જાય એના વાયસર પતી જાય, આ બધાને ખબર છે. પણ હું આવ્યો, મે ગુજરાતમાં જવાબદારી લીધી અને એમના ગામમાં મે ટાંકી બનાવી. એક જમાનો ગુજરાતમાં એવો હતો કે, ગુજરાતના એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની એક ટાંકી બનાવી અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં ગુજરાતના છાપામાં પહેલાં પાના પર મોટા ફોટા છપાયા હતા કે મુખ્યમંત્રીએ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું. એ દિવસો ગુજરાતે જોયા છે. અને આજે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું.'
જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે: PM
PM મોદીએ નવસારીથી સંબોધન કરતા જણાવ્યું કે, 'ગુજરાત છોડ્યા બાદ જે-જે લોકોએ ગુજરાતને સંભાળવાનું દાયિત્વ સંભાળ્યું તેમાં આજે ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો વિશ્વાસ જગાવી રહી છે તે તેનું જ પરિણામ છે કે મારી સામે આજે પાંચ લાખથી પણ વધારે આટલી મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યાં. મને ગર્વ એ વાતનું થાય છે કે જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે અને તમારો પ્રેમ વધતો જ જઇ રહ્યો છે. એટલે મને સર્વાધિક ગર્વ થઇ રહ્યો છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime